ભક્તિનગરના મારામારીના ગુનામાં ત્રણ આરોપીને પકડી લેતી એસઓજી

  • June 16, 2023 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી જામનગર જીલ્લામાં  એનડીપીએસ એકટના ગુના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર બી.એન ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર જે.ડી.પરમાર તથા આર.એચ.બારના માર્ગદર્શન મુજબ એસઓજીના સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા.
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના સંદિપભાઇ ચુડાસમા તથા શોભરાજસિંહ જાડેજા તથા ચંદ્રસિંહ જાડેજાને હકિકત મળેલ કે, રાજકોટ શહેર ભકિતનગર પોલીસ સ્ટેશનના  ઇ.પી.કો કલમ-૩૨૪, ૫૦૪, ૩૩૭, ૧૧૪ મુજબના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓ ઇમરાન યુનુશભાઇ મોદી તથા ઇરફાન યુનુસ મોદી તથા સાહીલ મોદી રહે. ત્રણેય જામનગર વાળા હાલ રણજીતનગર રોડ મારાવાડી વાસના ઢાળીયા પાસે ત્રણેય ઉભા છે જેથી સદર જગ્યાએ જતા ઉપરોકત ત્રણેય આરોપીઓ મળી આવેલ હોય જેથી મજકુર ત્રણેય આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે સીટી એ ડીવી પોલીસ સ્ટેશનને શોધી આપેલ છે.
આરોપી ઇમરાન યુનુસભાઇ કદી ઉ.વ. ૨૯ ધંધો વેપાર રહે. જંગલેવર અંકુર સોસાયટી શેરી રાજકોટ, ઇરફાન યુનુભાઇ મૌદી ઉવ. ૩૪ ધંધો વેપાર રહે જંગલેશ બંર સોસાયટી શેરી નં-૫ રાજકોટ, સાહીલ ફિરોજ મોદી ઉ.વ. ૨૦ ધંધા-વેપાર, રહે. રણજીત રોડ નંદનવન સોસાયટીની બાજુમાં પીંજારા વાસ જામનગરનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application