સુરપંખા વિવાદમાં રેણુકા ચૌધરી પીએમ મોદી સામે કરશે માનહાનિનો કેસ

  • March 24, 2023 10:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા કરી છે તેનું લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે ત્યારે રેણુકા ચૌધરીએ પણ વડાપ્રધાન સામે બદનક્ષીનો કેસ દાખલ કરવાની વાત કરી છે.



કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રેણુકા ચૌધરીનું કહેવું છે કે તેઓ સુરપંખા કહેવા બદલ વડાપ્રધાન મોદી સામે માનહાનિનો કેસ દાખલ કરશે. વર્ષ 2018માં ગૃહમાં પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને રેણુકા ચૌધરીના હાસ્ય પર ટોણો માર્યો હતો અને તેમના હાસ્યની આડકતરી રીતે રામાયણના મુખ્ય પાત્ર સુરપંખા સાથે સરખામણી કરી હતી. હવે સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી છે ત્યારે રેણુકા ચૌધરીએ પણ વડાપ્રધાન સામે બદનક્ષીનો કેસ દાખલ કરવાની વાત કરી છે.



એક ટ્વિટમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરીએ વડાપ્રધાન મોદી તરફ ઈશારો કરીને તેમને લેવલલેસ કહ્યા અને કહ્યું કે તેમણે મને ગૃહમાં સુરપંખા કહ્યા. રેણુકા ચૌધરીએ લખ્યું કે તે વડાપ્રધાન વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે. તેણે ટોણો પણ માર્યો કે ચાલો જોઈએ કે આ ફાસ્ટ કોર્ટ હવે કેવી રીતે કામ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application