જામનગર જિલ્લાના સાંસદ- ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ મહા આરતી તેમજ અન્નકૂટના દર્શન નો લાભ લીધો
છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજી મંદિરમાં કારતક સુદ તેરસને ૨૫મી નવેમ્બરે શનિવારે દિવાળીના તહેવારોની ખુશીનો મહાઆરતી તેમજ અન્નકૂટ ના દર્શન નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી મહા આરતી તેમજ અન્નકૂટના દર્શનનો ધર્મ લાભ મેળવ્યો હતો.
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગૌરીશંકર મહાદેવના મંદિર પાછળ આવેલા શ્રી રામદૂત હનુમાનજી મંદિરમાં શનિવારે સાંજે અન્નકૂટના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ રાત્રિના આઠ વાગ્યે મહા આરતી કરવામાં આવી હતી. ઓમકાળેશ્વર મહાદેવ મંદિરના શ્રી મહેશભાઈ રાવલની ટીમ દ્વારા ઢોલ-નગારા-ઝાલર ના તાલે મહાદેવ હર મિત્ર મંડળ ના પ્રમુખ શ્રી રાજુભાઈ વ્યાસ (મહાદેવ) દ્વારા મહા આરતી કરવામાં આવી હતી.
આ મહા આરતી અને અન્નકૂટના દર્શનના કાર્યક્રમોમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જામનગરના ૭૯, દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપના દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા અને મુકેશભાઈ દાસાણી, કોર્પોરેટર અરવિંદભાઈ સભાયા, સુભાષભાઈ જોશી, જયેન્દ્રસિંહ ઝાલા, ડિમ્પલબેન રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરના વતની અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડી.વાય.એસ.પી. શમીરભાઈ શારડા, પૂર્વ પીએસઆઇ એ.પી. જાડેજા, મહાદેવ હર મિત્ર મંડળ સાથે જોડાયેલા પી.એમ.જાડેજા, એડવોકેટ વેકરીયા, એડવોકેટ ભાવિન ભોજાણી, એડવોકેટ હેમલભાઈ ચોટાઈ, ઉદ્યોગપતિ અશોકભાઈ ભદ્રા, ભુખાભાઈ, જામનગર પત્રકાર મંડળના મંત્રી જગતભાઈ રાવલ શિવસાગર શર્મા પૂજાબેન શર્મા, પદુભા જાડેજા સતવારા સમાજના પ્રમુખ દિપેશભાઈ કણજારીયા, એસ્ટેટ શાખાના યુવરાજસિંહ ઝાલાઝ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૩ ના નારણભાઈ ગઢવી તથા અન્ય મહેમાનો રાજકીય આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને અન્નકૂટના દર્શન અને મહા આરતી નો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech