તળાજા ખાતે ૭૮મા સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ

  • August 13, 2024 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિન અવસરે જિલ્લા કક્ષાની ઉજવણી તળાજાના આઇ. ટી .આઇ ખાતે થવાની છે. ત્યારે આજે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૧૫ ઓગસ્ટે તળાજા ખાતે રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી થશે.



સ્વાતંત્ર્યદિનની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેની રિહર્સલ જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાની રાહબરી હેઠળ તળાજા આઇ. ટી. આઇ. ખાતે યોજવામાં આવી હતી. રિહર્સલમાં કલેક્ટરએ મંત્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ પ્લાટુન દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, મંત્રી દ્વારા ઉદબોધન સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી સમીક્ષા કરી હતી.


રિહર્સલમાં ટ્રાફિક પોલીસ, પુરૂષ હથીયારી પોલીસ ટુકડી, મહિલા હથીયારી પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી પુરુષ, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, પોલીસ બેન્ડ પ્લાટુન, એન.સી.સી. સિકસ બટાલિયન યુનિટ, સ્ટુડન્ટ પોલિસ કેડેટ્સ (એસ.પી.સી.) સહિત પ્લટૂનની ટુકડીઓ પરેડમાં હાજર રહી હતી.
આ પ્રસંગે પ્રોબેશનરી આઇ. એ. એસ.અધિકારી  આયુષી જૈન, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, તળાજા પ્રાંત અધિકારી જે. આર. સોલંકી સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application