ઉંધા માથે પટકાઈ રણદીપની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકર

  • March 23, 2024 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પહેલા દિવસે અનુમાન પ્રમાણે કમાણી કરી શકી ન હોવાનો દાવો


રણદીપ હુડાની બાયોપિક ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના રોલમાં જોવા મળે છે. જ્યારે અંકિતા લોખંડે તેમની પત્ની યમુનાબાઈ સાવરકરનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મને લઈને સારો એવો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે પહેલા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે.

રણદીપ હુડ્ડાની આ ફિલ્મ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે.રણદીપ હુડ્ડા આ ફિલ્મ દ્વારા દિગ્દર્શનમાં ઉતર્યા છે. દર્શકોને આ બાયોપિક ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. માનવામાં આવતું હતું કે રણદીપની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે. હવે પહેલા દિવસની કમાણીના પ્રારંભિક આંકડા આવી ગયા છે.

પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' એ શરૂઆતના દિવસે 1.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

જો કે, આ અંતિમ આંકડા નથી. આવતીકાલે સવાર સુધીમાં ફિલ્મની કમાણીમાં વધારો જોવા મળી શકે છે.


ફિલ્મની શરૂઆત નબળી હતી, પરંતુ ફિલ્મને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આવી સ્થિતિમાં, આ ફિલ્મ સંપૂર્ણપણે વર્ડ ઓફ માઉથ પર નિર્ભર છે. આશા છે કે વીકેન્ડમાં ફિલ્મની કમાણી વધશે.


ફિલ્મનું બજેટ

રણદીપ હુડ્ડાની આ ફિલ્મ લગભગ 20 થી 25 કરોડના બજેટમાં બની છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં રણદીપ હુડ્ડાએ કહ્યું હતું કે આ ફિલ્મ બનાવવા માટે તેણે પોતાનું ઘર પણ વેચી દીધું હતું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે રણદીપ હુડ્ડાએ ઘણી મહેનત કરી છે. દામોદર સાવરકરના પાત્રમાં પોતાને ઢાળવા માટે રણદીપે પોતાનું વજન પણ 26 કિલો ઘટાડ્યું હતું. આ ફિલ્મ 'સ્વતંત્રવીર સાવરકર'નો પ્લોટ વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત છે. ફિલ્મનું શૂટિંગ લંડન, મહારાષ્ટ્ર, આંદામાન અને નિકોબારમાં કરવામાં આવ્યું છે. જો કે, આ ફિલ્મ અનુમાન પ્રમાણે કમાણી કરી શકી નથી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application