રક્ષાબંધન પર બહેનોને રાજકોટ મનપાની ભેટ : સિટી બસમાં કરી શકશે ફ્રીમાં મુસાફરી

  • August 29, 2023 03:56 PM 

આગામી 30 ઓગષ્ટના રોજ રક્ષાબંધનનો પર્વ છે. તે નિમિતે બી.આર.ટી.એસ. રૂટ પર તથા શહેરમાં ચાલતી સિટી બસમાં બહેનોને ફ્રી બસ સેવા પુરી પાડવામાં આવશે. 
    
રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાલમાં ૭૦ ડીઝલ અને ૨૭ ઇલેક્ટ્રિક બસ તથા બી.આર.ટી.એસ.માં ૨૦ ઇલેક્ટ્રિક એ.સી. બસ ચલાવવામાં આવી રહી છે. 
    

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં બહેનો માટે દર વર્ષની પરંપરા મુજબ ફ્રી મુસાફરી કરવાની સુવિધા આપવાનું આ વર્ષે પણ નક્કી કરવામાં આવેલ છે. આગામી તા.૩૦-૦૮-૨૦૨૩ને બુધવારના રોજ “રક્ષાબંધન”ના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જયારે પુરુષોએ તેઓની મુસાફરી દરમ્યાન રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application