રાજકોટ : ભક્તિનગર સર્કલ પાસે હોસ્પિટલમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે

  • August 08, 2023 03:51 PM 

શહેરના ભકિતનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલમાં આજરોજ બપોરના સમય અહીં જનરેટર મમાં આગ લાગી હતી.જેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં પહોંચી હતી.જોકે આગ સામાન્ય હોય કોઈ મોટું નુકસાન થયું ન હતું.


આગની આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજરોજ ૧૨:૧૦ વાગ્યા આસપાસ શહેરના ભકિતનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલમાં જનરેટર મમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને કોલ મળતા કનક રોડ ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ અહીં પહોંચી હતી. પરંતુ તે પૂર્વે હોસ્પિટલ સ્ટાફ દ્રારા ૭ એબીસી તથા ૩ સીઓ૨ ચલાવી આગ ઓલવી નાખી હતી. આગની આ ઘટનામાં જનરેટર ઉપર કવર કરેલું પતં તથા જનરેટરનું વાયરીંગ સળગી ગયું હતું.કોઈ મોટી નુકસાની થઈ ન હતી. યારે આગની અન્ય એક ઘટનામાં સવારે ૧૧:૩૦ વાગ્યા આસપાસ ભાવનગર રોડ પર જયનાથ પેટ્રોલ પપં પાસે માતિ ૮૦૦ કારમાં આગ ભભૂકી ઊઠી હતી. જેની જાણ થતા ફાયરની ટીમે અહીં પહોંચી ૧૫ મિનિટ પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી. બનાવસ્થળે કારચાલક ભરતભાઈ બહાદુરભાઇ માંજરિયા પણ હાજર હતા. આગનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ કારચાલકના જણાવ્યા મુજબ આગમાં અંદાજિત ૩૦ થી ૪૦ હજારનું નુકસાન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application