ભારતમાં ટૂંક સમયમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી, જેવા અનેક તહેવારો આવશે. તહેવારોની સિઝનમાં અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે પરત ફરે છે. દિવાળી અને છઠ દરમિયાન રેલવે સ્ટેશનો લોકોથી ખીચોખીચ ભરેલા હોય છે. તેથી, તહેવારોની આ સિઝનમાં મુસાફરોને સુવિધા આપવા માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે મોટી જાહેરાતો કરી છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે આગામી તહેવારોની સીઝનમાં રેલ્વેએ 108 ટ્રેનોમાં જનરલ ડબ્બાની સંખ્યામાં વધારો કર્યો છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વેએ છઠ પૂજા અને દિવાળી વિશેષ ટ્રેનો માટે 12,500 ડબ્બા મંજૂર કર્યા છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં વર્ષ 2024-25માં કુલ 5,975 ટ્રેનોને સૂચિત કરવામાં આવી છે. આનાથી પૂજાના ધસારામાં 1 કરોડથી વધુ મુસાફરોને ઘરે જવાની સુવિધા મળશે. 2023-24માં તહેવારોની સિઝન દરમિયાન કુલ 4,429 વિશેષ ટ્રેનો દોડી હતી.
શ્રાવણમાં રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી પૂર્ણ થઈ છે. હવે દુર્ગા પૂજાનો તહેવાર આવશે. આ વર્ષે દુર્ગા પૂજાનું આયોજન 3જી ઓક્ટોબરથી 12મી ઓક્ટોબર સુધી કરવામાં આવશે. એટલે કે 12મી ઓક્ટોબરે દશેરાની ઉજવણી કરવામાં આવશે. આ પછી 29 ઓક્ટોબરે ધનતેરસ, 1 નવેમ્બરે દિવાળી અને 5 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી છઠ પૂજા મનાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech