રેલવે મંત્રી વૈષ્ણવે દિવાળી પર ઘરે જનારા મુસાફરોને આપી ભેટ, કરી મોટી જાહેરાત

  • September 27, 2024 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં ટૂંક સમયમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી, જેવા અનેક તહેવારો આવશે. તહેવારોની સિઝનમાં અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે પરત ફરે છે. દિવાળી અને છઠ દરમિયાન રેલવે સ્ટેશનો લોકોથી ખીચોખીચ ભરેલા હોય છે. તેથી, તહેવારોની આ સિઝનમાં મુસાફરોને સુવિધા આપવા માટે  રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે મોટી જાહેરાતો કરી છે.


રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે આગામી તહેવારોની સીઝનમાં રેલ્વેએ 108 ટ્રેનોમાં જનરલ ડબ્બાની સંખ્યામાં વધારો કર્યો છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વેએ છઠ પૂજા અને દિવાળી વિશેષ ટ્રેનો માટે 12,500 ડબ્બા મંજૂર કર્યા છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં વર્ષ 2024-25માં કુલ 5,975 ટ્રેનોને સૂચિત કરવામાં આવી છે. આનાથી પૂજાના ધસારામાં 1 કરોડથી વધુ મુસાફરોને ઘરે જવાની સુવિધા મળશે.  2023-24માં તહેવારોની સિઝન દરમિયાન કુલ 4,429 વિશેષ ટ્રેનો દોડી હતી.


શ્રાવણમાં રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી પૂર્ણ થઈ છે. હવે દુર્ગા પૂજાનો તહેવાર આવશે. આ વર્ષે દુર્ગા પૂજાનું આયોજન 3જી ઓક્ટોબરથી 12મી ઓક્ટોબર સુધી કરવામાં આવશે. એટલે કે 12મી ઓક્ટોબરે દશેરાની ઉજવણી કરવામાં આવશે. આ પછી 29 ઓક્ટોબરે ધનતેરસ, 1 નવેમ્બરે દિવાળી અને 5 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી છઠ પૂજા મનાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application