કવચ સિસ્ટમ પર સવાલ, રાજીનામાની માંગ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો આ જવાબ

  • June 03, 2023 09:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓડિશાના બાલાસોરમાં થયેલી દર્દનાક ટ્રેન દુર્ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર વિપક્ષી દળોના પ્રહારો થયા છે. વિપક્ષના નેતાઓ અશ્વીની વૈષ્ણવના રાજીનામાની માંગ કરી રહ્યા છે અને તેમને સેંકડો મુસાફરોના મૃત્યુ માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. આ સાથે જ રેલવે મંત્રીએ રાજીનામાના સવાલનો જવાબ આપ્યો છે. તેમણે મીડિયાને કહ્યું કે આ રાજનીતિ કરવાનો સમય નથી. હવે રાહત આપવાનો સમય આવી ગયો છે. અમારું તમામ ધ્યાન બચાવ પર છે. પુરી તાકાતથી કામ કરવું. હું ક્યાંય જતો નથી, હું અહીં છું. બચાવ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે.



ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુનો આંક વધી રહ્યો છે. ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મૃત્યુ થઈ ગયા છે. જ્યારે 1175 લોકો ઈજાગ્રસ્ત થઈ છે. હાલ તો 793 દર્દીને રજા આપવામાં આવી છે.


બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અંદાજીત 54 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઉપરાંત 1175 થી વધુ લોકો ઘાયલ છે. જેમને બાલાસોર અને નજીકના જિલ્લાઓમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમજ 793ને રજા આપવામાં આવી છે. 


અત્યાર સુધીમાં 288 લોકોના મોત
બાલાસોરમાં ત્રણ ટ્રેનોની અથડામણમાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે, જ્યારે 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જોકે મૃત્યુઆંક વધી શકે છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application