રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે, રાયબરેલીથી રહેશે સાંસદ : સૂત્રો

  • June 17, 2024 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપી શકે છે અને રાયબરેલીથી સાંસદ રહેશે. સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી.


સૂત્રોએ વધુમાં જણાવ્યું કે હાલમાં પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે તે અંગે કોઈ ચર્ચા થઈ નથી. વાસ્તવમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ લોકસભા ચૂંટણીમાં વાયનાડ અને રાયબરેલી બેઠક પરથી જીત્યા હતા. ત્યારે હવે તેઓએ આમાંથી એક સીટ પસંદ કરવી પડશે. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ મૂંઝવણમાં ફસાયા છે.


રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધી તાજેતરમાં મતદારોનો આભાર વ્યક્ત કરવા તેમના મતવિસ્તાર વાયનાડ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ મૂંઝવણમાં છે કે કઈ સીટ રાખવી અને કઈ સીટ છોડવી. મને આશા છે કે તે જે પણ નિર્ણય લેશે, બધા તેનાથી ખુશ થશે.


આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે પીએમ મોદીની જેમ મને ભગવાનનું માર્ગદર્શન મળતું નથી. હું એક સામાન્ય વ્યક્તિ છું. બધા નિર્ણયો ભગવાન જ લે છે. મારા ભગવાન ભારતના ગરીબ લોકો છે.


રાયબરેલી અને વાયનાડમાં રેકોર્ડ જીત


રાહુલ ગાંધીએ રાયબરેલીમાં ભાજપના દિનેશ પ્રતાપ સિંહને હરાવ્યા છે. તેઓ વાયનાડમાં CPI(M)ના એની રાજા સામે ત્રણ લાખથી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા.


યુપીની રાયબરેલી સીટ ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. ગત વખતે આ સ્થાનનું પ્રતિનિધિત્વ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કર્યું હતું પરંતુ આ વખતે તેઓ ચૂંટણી લડ્યા ન હતા અને રાજ્યસભાના સભ્ય બન્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application