રાહુલ દ્રવિડે કોહલી અને રોહિત સહિત મોટા ખેલાડીઓના રહસ્યો ખોલ્યા, કહ્યું કંઈક આવું

  • August 12, 2024 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાહુલ દ્રવિડે 2024 T20 વર્લ્ડ કપ પછી ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદ પરથી નિવૃત થયા છે. વર્લ્ડ કપ પૂરો થતાંની સાથે જ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો. દ્રવિડ બાદ ગૌતમ ગંભીરને મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. હવે કોચ પદ છોડ્યા બાદ દ્રવિડે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ઘણા મોટા ખેલાડીઓ વિશે વાત કરી. એક રીતે દ્રવિડે ટીમના મોટા અને સુપરસ્ટાર ખેલાડીઓના રહસ્યો ખોલ્યા છે..


દ્રવિડે જણાવ્યું કે કેવી રીતે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમના અન્ય ખેલાડીઓના ઈગોની વાત કરવામાં આવે છે. કહેવાય છે કે સુપરસ્ટાર ખેલાડીઓને સંભાળવા ખૂબ મુશ્કેલ હોય છે. દ્રવિડે આ બાબતો વિશે વાત કરી હતી.


તેણે કહ્યું, "હું ટીમની સફળતાનો સંપૂર્ણ શ્રેય લઈ શકતો નથી. ટીમ સિનિયર ખેલાડીઓની મદદથી આગળ વધે છે અને કેપ્ટન તેમનું નેતૃત્વ કરે છે. રોહિત સાથે કામ કરવું સન્માનની વાત હતી. મેં અઢી વર્ષ તેની સાથે કામ કર્યું. તે એક જબરદસ્ત કેપ્ટન છે અને ખેલાડીઓ તેના તરફ ઝુકાવ રાખે છે. તેનાથી ઘણો ફરક પડે છે.


ભૂતપૂર્વ ભારતીય મુખ્ય કોચે ખેલાડીઓના ઈગો વિશે આગળ કહ્યું કે  વિરાટ હોય કે બુમરાહ કે ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિન જેવા મોટા ખેલાડીઓ હોય, મને નથી લાગતું કે... ક્યારેક ક્યારેક લોકો વિચારે છે કે તેમનો ઈગો ખૂબ વધારે છે અને તેને હેન્ડલ કરવું ખૂબ મુશ્કેલ છે. કારણકે તેમને લાખો લોકો ફોલો કરે છે પરંતુ બધી વાત તેનાથી જુદી જ છે.


તેણે આગળ કહ્યું, "આમાંના ઘણા સુપરસ્ટાર્સ તેમના કામ પ્રત્યે નમ્ર છે અને તેથી જ તેઓ સુપરસ્ટાર છે. તેઓ પરિસ્થિતિ, તકનીક અને જરૂરિયાતને અનુરૂપ બનવા માટે તૈયાર છે. કેટલીકવાર તેમના કામના ભારને મેનેજ કરવું પડે છે. મને તેઓની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. આ વાતની ક્રેડિટ ટીમના કેપ્ટન અને સિનીયર ખેલાડીઓને જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application