ભારતે વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ટીમમાં એક ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત અક્ષર પટેલની જગ્યાએ અનુભવી આર.અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અશ્વિન ભારતીય ટીમ સાથે ગુવાહાટી પહોંચી ગયો છે.
ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. અને ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાવાનો છે. મહત્વનું છે કે ભારત વર્લ્ડ કપની યજમાની કરી રહ્યો છે. આ ઈવેન્ટ પહેલા તમામ ટીમો પ્રેક્ટિસ મેચ રમશે. આ પહેલા ભારતીય ટીમે પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. વાસ્તવમાં ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને આર અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
અક્ષરની જગ્યાએ અશ્વિન ટીમમાં જોડાયો
ભારતીય ટીમની પ્રથમ પ્રેક્ટિસ મેચ 30 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડ સામે રમાશે, જેના માટે ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા સાથે ભારતના અનુભવી સ્પિનર આર અશ્વિન જોવા મળ્યો હતો. આ પછી અશ્વિનને ભારતીય ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ હતી.
એશિયા કપમાં ઈજા થઈ હતી
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ સામે એશિયા કપ સુપર-4 મેચ દરમિયાન અક્ષર પટેલના ડાબા ક્વાડ્રિસેપ્સમાં ખેંચ આવી હતી. ત્યારથી તે NCAમાં રિહેબ પર છે. તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો ન હતો, જે બાદ તેની જગ્યાએ આર.અશ્વિનને સામેલ કરવામાં આવ્યો.
વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech