અલ્લુ અર્જુન ધૂમ મચાવવા તૈયાર, રિલીઝ ડેટ થઈ કન્ફર્મ
પુષ્પા 2 ને લઈને મોટી જાહેરાત ફિલ્મ મેકર્સએ કરી છે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. તેણે કહ્યું કે, હવે 'પુષ્પા 2'ની રિલીઝમાં માત્ર 200 દિવસ બાકી છે. આ પછી અલ્લુ અર્જુન ફરી એકવાર પુષ્પરાજના રૂપમાં તેના ફેન્સનું મનોરંજન કરશે.
જ્યારે અલ્લુ અર્જુનની સમગ્ર ભારતમાં ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ રીલિઝ થઈ હતી. ત્યારે નિર્માતાઓને તેની સફળતાનો કોઈ અંદાજ નહોતો. પરંતુ ડિસેમ્બર 2021માં લોકડાઉન પછી આ ફિલ્મે દર્શકોને દિવાના બનાવી દીધા છે. આ ફિલ્મ માટે સાઉથ એક્ટર અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
ફિલ્મની સફળતા જોઈને મેકર્સે પુષ્પા 2ની જાહેરાત કરવામાં જરા પણ મોડું કર્યું નથી. ત્યારથી લઈને અત્યાર સુધી ફેન્સ પુષ્પાની બીજી સિરીઝ આવે તેની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે મેકર્સે ફિલ્મને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.
લોકોના ઉત્સાહનો અંદાજ ટ્રેલરને મળેલા પ્રેમ પરથી લગાવી શકાય
ફેન્સ ઘણા સમયથી અલ્લુ અર્જુનની પુષ્પા 2ની રાહ જોઈ રહ્યા છે. પુષ્પા ધ રાઇઝ દેશભરના સિનેમાઘરોમાં જોરદાર હિટ રહી હતી. આવી સ્થિતિમાં લોકોને પુષ્પા 2 પાસેથી ઘણી આશાઓ છે કે સારી સ્ટોરી વણવામાં આવી હશે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. તેનાથી લોકોમાં ધૂમ મચી ગઈ હતી. પછીથી તે 8 એપ્રિલ 2023ના રોજ અલ્લુ અર્જુનના જન્મદિવસ પર રિલીઝ થઈ. ફિલ્મ માટે લોકોના ઉત્સાહનો અંદાજ ટ્રેલરને મળેલા પ્રેમ પરથી લગાવી શકાય છે.વાસ્તવમાં નિર્માતાઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, હવે ‘પુષ્પા 2’ની રિલીઝમાં માત્ર 200 દિવસ બાકી છે. 200 દિવસમાં એટલે કે 15મી ઓગસ્ટ 2024ના રોજ અલ્લુ અર્જુન પુષ્પરાજના રૂપમાં ફરીથી તેના ફેન્સનું મનોરંજન કરશે.
ભાગ 2 પાસેથી ઘણી આશાઓ છે
સાઉથના પ્રખ્યાત નિર્દેશક સુકુમારે ‘પુષ્પા ધ રૂલ’નું નિર્દેશન કર્યું છે. ફિલ્મના પહેલા ભાગની જેમ આ વખતે પણ અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાન્ના અને ફહદ ફાસિલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પહેલા ભાગની સફળતા બાદ હવે નિર્માતાઓ અને ફેન્સને ભાગ 2 પાસેથી ઘણી આશાઓ રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં તે જોવાનું રસપ્રદ રહેશે કે શું ફિલ્મ આ આશાઓ પર ખરી ઉતરે છે કે નહીં?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech