પ્રિસ્કૂલ માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહી સામે ત્રણ શાળા સંચાલક મંડળ દ્રારા વિરોધ

  • February 20, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયમાં આવેલી પ્રિ–સ્કૂલ માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહી સામે ત્રણ સંચાલક મંડળ દ્રારા તમામ સ્કૂલોને હાલમાં રજિસ્ટ્રેશન ન કરવા માટે આદેશ અપાયો છે. રજિસ્ટ્રેશન માટેની જે જોગવાઈઓ નક્કી કરવામાં આવેલી છે તેની સામે સંચાલક મંડળને વાંધો છે અને તેને લઈને આગામી દિવસોમાં રાયના ત્રણ મોટા સંચાલક મંડળની એક સંયુકત બેઠક બોલાવવામાં આવશે.

આ બેઠકમાં પ્રિ–સ્કૂલના રજિસ્ટ્રેશન માટે નક્કી કરેલી જોગવાઈઓ પૈકી જે જોગવાઈ સામે વાંધો છે તેના મુદ્દા અલગ તારવી સરકારમાં રજૂઆત કરવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે એક વર્ષની સમય મર્યાદા હોવાથી નિરાકરણ આવ્યા બાદ મંડળ દ્રારા સૂચના મળ્યા પછી જ રજિસ્ટ્રેશન કરવા માટે સંચાલકોને તાકીદ કરાઈ છે.
જેમાં હયાત પ્રિ–સ્કૂલોએ એક વર્ષની મર્યાદામાં તથા નવી પ્રિ–પ્રાયમરી સ્કૂલોએ સંસ્થા શ કરતા પહેલા રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવાની રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે. રજિસ્ટ્રેશનને લઈને શિક્ષણ વિભાગ દ્રારા માર્ગદર્શિકા નક્કી કરાઈ છે, જેમાં રજિસ્ટ્રેશન માટેની જોગવાઈઓ પણ જાહેર કરવામાં આવી છે. જોકે, રજિસ્ટ્રેશન માટેની જોગવાઈઓ પૈકી અમુક જોગવાઈઓને લઈને સંચાલક મંડળે વાંધો ઊભો કર્યેા છે. જેથી યાં સુધી બીજી સૂચના ન મળે ત્યાં સુધી રજિસ્ટ્રેશન ન કરવા માટે તમામ સંચાલકોને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ગુજરાત રાય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાય શાળા સંચાલક મહામંડળ અને અખિલ ગુજરાત રાય શાળા સંચાલક મહામંડળ દ્રારા તમામ સ્કૂલ સંચાલકોને પત્ર લખી હાલમાં રજિસ્ટ્રેશન ન કરવા આદેશ કરાયો છે. સંચાલક મંડળ દ્રારા વર્ગ દીઠ ફી સામે વાંધો ઉઠાવ્યો છે. સંચાલક મંડળના મત અનુસાર પ્રિ–સ્કૂલ દીઠ ફી રાખવી જોઈએ, તેના બદલે વર્ગ દીઠ ફી રાખવામાં આવી છે તે યોગ્ય નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application