બીપરજોય વાવાઝોડા વચ્ચે ભાણવડ પંથકમાં મેઘાએ પોરો ખાતા ખેડૂત દ્વારા વાવણી શરુ...
ભાણવડ પંથકમાં છેલ્લા બે દિવસમાં બીપરજોય વાવાઝોડાના સંભાવના વચ્ચે મેઘાની મહેર થતાં ખેડૂતો દ્વારા આજે અગીયારસના પવિત્ર દિવસે લાપસીના આંધણ મુકી વાવણીનો શુભારંભ કરેલ છે.
**
જામનગર અને અન્ય દરિયાકિનારા ધરાવતા જિલ્લાઓમાં આગામી તા. ૧૬ જૂન દરમિયાન ’બિપરજોય’ વાવાઝોડાની આગાહી થયેલી છે. જામનગર જિલ્લાના તમામ ખેડૂતોએ હવામાન ખાતાની આગાહી અનુસાર સંબંધિત વાવાઝોડાની સંભાવના હોઈ, અત્રે જણાવેલા આગોતરા સાવચેતીના પગલાંનું પાલન કરવાનું રહેશે.
જે મુજબ, ખેતી કરતા ખેડૂત મિત્રોએ તૈયાર થયેલી ખેત પેદાશો ઉતારી લેવી. તૈયાર ખેતપેદાશો સલામત સ્થળે ખસેડીને તેનો સુરક્ષિત સંગ્રહ કરવો. જો ખુલ્લી જગ્યાએ ખેત પેદાશો પડી હોય તો તેના ઉપર તાત્કાલિક તાડપત્રી અથવા પ્લાસ્ટિક વડે તેને યોગ્ય રીતે ઢાંકી દેવું.
તેમજ, ખેત પેદાશોના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે ન જાય. આજુબાજુમાં માટી ચડાવવી જોઈએ. આ ઉપરાંત, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળી ન જાય તેથી ગોડાઉનમાં સુરક્ષિત રીતે રાખવો.
આ ઉપરાંત, જંતુનાશક દવા, હોર્મોન્સ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ આ સમયે ટાળવો જોઈએ. એ. પી. એમ. સી. માં વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોએ કાળજી રાખવી. માર્કેટિંગ યાર્ડમાં આ દિવસોમાં વેચાણ અર્થે આવતી ખેત પેદાશો ખુલ્લી જગ્યામાં ના રાખતા સુરક્ષિત સ્થળે રાખવી.
આ અંગે, વધુ માહિતી મેળવવા માટે તમારા નજીકના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, તાલુકા મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર- ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક સાધી શકાશે. તેમ મદદનીશ ખેતી નિયામક, તાલીમ અને મુલાકાત યોજના, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMદ્વારકા નજીક પૂરઝડપે જતી કારની હડફેટે ભેંસનું મૃત્યુ
September 20, 2024 12:24 PMમૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?
September 20, 2024 12:23 PMજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech