દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દર વર્ષે ઉજવાતા ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. સ્થાપના પછી ઉત્સવ પૂર્ણ થયા બાદ ગણેશજીની પ્રતિમાઓનું જિલ્લાની જુદી જુદી નદીઓ અને તળાવોના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. જેના અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગણેશ મહોત્સવની શાંતિ પૂર્ણ માહોલમાં અને પર્યાવરણને કોઇ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે રીતના ઉજવણી થાય તેવા હેતુસર જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી, કૂવામાં મૂર્તિઓનું વિસર્જન કરવું નહી, મૂર્તિ વિસર્જન માટે સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા સરકારની સૂચનાઓ અને હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મૂર્તિ વિસર્જન કરી શકાશે નહીં. ગણેશજીની મૂર્તિ વિસર્જન યાત્રા દરમિયાન જાહેર જગ્યાએ આવતા - જતા રાહદારીઓ ઉપર તેમજ વાહનોમાં આવતા - જતા માણસો ઉપર કે મકાનો, મિલકત ઉપર કોઈ પણ પ્રકારના રંગો કે પાઉડરને પાણી કે અન્ય તૈલી પદાર્થોમાં મિશ્રિત કરી ઉડાડવા કે છાંટવા નહી. મૂર્તિકારોએ વધેલી તથા ખંડિત મૂર્તીઓ બિનવારસી હાલતમાં છોડી દેવી નહી. આ જાહેરનામું તા. 29 સુધી અમલમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાના ઘી ડેમમાં સાડા ચાર, સિંહણ ડેમમાં પાંચ ફૂટ નવું પાણી આવ્યું
July 03, 2024 11:35 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીનો ગંજીપો ચિંપાયો
July 03, 2024 11:33 AM20 વર્ષ સુધી જેને 'હથોડી' ગણતી હતી, તે નીકળ્યુ કંઈક બીજું જ, સત્ય જાણ્યા પછી મહિલા બેહોશ!
July 03, 2024 11:31 AMખંભાલીયા લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદોને કીટ અર્પણ
July 03, 2024 11:29 AMડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે ખંભાળિયામાં વિચાર ગોષ્ઠિ યોજાઈ
July 03, 2024 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech