યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલમાંથી ભારતીયોને બહાર કાઢવાની તૈયારીઓ, ઓપરેશન અજય શરૂ

  • October 12, 2023 12:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત સરકારે યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કર્યું છે. 


વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું કે ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વિશેષ ચાર્ટર ફ્લાઇટ્સ અને અન્ય જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુંબઈમાં ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીનું કહેવું છે કે ઈઝરાયેલમાં 20 હજારથી વધુ ભારતીયો રહે છે. જોકે, તેમનું કહેવું છે કે તેઓ ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોના ચોક્કસ આંકડાઓ જાણતા નથી.




કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મંગળવારે જયશંકરને પત્ર લખીને જણાવ્યું હતું કે રાજ્યના લગભગ 7000 લોકો ઈઝરાયેલમાં ફસાયેલા છે. વિજયને આ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મંત્રાલયના હસ્તક્ષેપની માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application