અમુલ ઇન્ડસ્ટ્રીની હરાજી કરી કામદારોને પગાર ચૂકવવા કલેકટર તંત્રની તૈયારી

  • April 02, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લાંબા સમય સુધી કામદારોના પગાર નહીં ચૂકવનાર અને માનસિક ત્રાસના કારણે ચારથી પાંચ જેટલા કામદારોએ આત્મહત્યા કરવી પડી હતી તે અમુલ ઇન્ડસ્ટ્રીના કામદારોના બાકી લેણા નીકળતા પગારના ચુકવણા માટે કલેકટર તત્રં દ્રારા અમૂલ ઇન્ડસ્ટ્રીની મિલકતોની હરાજી કરવાની તૈયારી શ કરવામાં આવી છે.
કલેકટર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ અમુલ ઇન્ડસ્ટ્રીઝે તેના ૩૬૧ કામદારોને છેલ્લા ત્રણ મહિનાના પગાર ચૂકવ્યા નથી. પગાર પેટે કામદારોનું ૧ કરોડ ૭૫ લાખનું લેણું નીકળે છે. આ ફેકટરીને સીલ મારી દઈને માલિકોને પગાર ચૂકવવા કહેવામાં આવ્યું હતું પરંતુ આમ છતાં હજુ પગાર ચૂકવાયો ન હોવાથી હવે મિલકતોની હરાજી કરી તેમાંથી જે આવક થશે તે કામદારોને પગાર પેટે ચૂકવવામાં આવશે.
અમુલ ઇન્ડસ્ટ્રીની જુદી જુદી મિલકતોનું વેલ્યુએશન કેટલું છે તે નક્કી કરવા માટે ડીઆઇએલઆર અને જિલ્લા ઉધોગ કેન્દ્રને કલેકટર તત્રં તરફથી સૂચના આપવામાં આવી છે. વેલ્યુએશન રિપોર્ટ મળી ગયા પછી હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application