ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં શનિવારે દસ કલાકનો વીજકાપ

  • October 26, 2023 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના 132 કે.વી. સબ સ્ટેશન તથા 66 કે.વી. રામનગર સબ સ્ટેશન હેઠળ આવતા આ વિસ્તારના તમામ અર્બન, જ્યોતિગ્રામ તથા ખેતીવાડી વીજ ફીડરો શનિવાર તા. 28 મી ના રોજ સબ સ્ટેશન તથા વીજ લાઈનના સમારકામની કામગીરીના હેતુસર બંધ રાખવામાં આવશે.


જે અંતર્ગત ખંભાળિયા શહેરના તમામ વિસ્તાર તથા નજીકના રામનગર, હર્ષદપુર, ધરમપુર અને શક્તિનગર ગ્રામ પંચાયત હેઠળ આવતા તમામ વિસ્તારોમાં શનિવારે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તેમ વીજ તંત્રની એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application