ખાતાકીય મોડ–૩ની પરીક્ષા આપીને એએસઆઈમાંથી પીએસઆઈ બનેલા રાજય ૫૨૩ ફોજદારોના બદલી સાથે નવા પોષ્ટ્રીંગના ગઈકાલે ડીજીપી વિકાસ સહાય દ્રારા ઓર્ડર કરાયા છે. જેમાં રાજકોટ શહેરને નવા ૩૩ ફોજદાર મળશે. રાજકોટ ગ્રામ્યમાં ૧૩ પીએસઆઈ આવશે.પરીક્ષા લેવાઈ રીઝલ્ટ બાદ પણ ઓર્ડર પોસ્ટીંગમાં ચારેક માસથી વધુ સમયથી અટવાયેલા ૫૨૩ પોલીસ કર્મીઓને દિવાળી પુર્વે રાય સરકાર દ્રારા પ્રમોશન આપવાનો નિર્ણય જાહેર કરાયો હતો અને જયાં ફરજ બજાવતા હતા ત્યાં જ પીન સેરેમની સાથે પીએસઆઈ બનાવાયા હતા. હવે આ તમામ ૫૨૩ ખાતાકીય મોડ–૩ના પીએસઆઈના બદલીનું લીસ્ટ કાલે જાહેર થયું હતું. રાજકોટ શહેર પોલીસના એએસઆઈ જયુભા પરમાર, રાજેશભાઈ સોલંકીને રાજકોટ ગ્રામ્ય, જયસુખભાઈ હત્પંબલ, બીપીનદાન ગઢવીને પોરબંદર, જગદીશ પાંડવ તથા ફરીદાબેન કથીરીની અમરેલી બદલી થઈ છે. તથા માઢક જયોત્સનાબેન, સોલંકી પારૂલબેનની જૂનાગઢ, મધુબેન પરમારને જામનગર, વનીતાબેન બોરીચાને મોરબી મુકવામાં આવ્યા છે. રાજકોટમાં નવા આવેલા ૩૩ ફોજદારમાં ગીર સોમનાથ જિલ્લ ામાંથી એક સાથે નવ ફોજદારનો સમાવેશ થાય છે.
હવે ત્રણ વર્ષના ફરજકાળવાળા અધિકારીઓની બદલીઓ આવશે
ડીજીપી દ્રારા ૫૨૩ ખાતાકીય ફોજદારોના ગઈકાલે ઓર્ડર કરાયા હવે ત્રણ વર્ષ કે તેથી વધુ સમય એક સ્થળ પર ફરજ બજાવી ચુકેલા પીએસઆઈથી આઈપીએસ સુધીના અધિકારીઓના લીસ્ટ તૈયાર થશે. આગામી વર્ષ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ આ ઓર્ડર સંભવત નવા વર્ષના પ્રથમ માંંસાતે કે એ સમયગાળામાં નીકળશે તેવું ઉચ્ચસ્તરીય લેવલેથી જાણવા મળે છે. બદલીઓ માટે એસપીથી લઈ સીપી કે રેંજ આઈજી સુધીના અધિકારીઓ તેમજ પીઆઈ, પીએસઆઈ લેવલના અધિકારીઓ પણ અત્યારથી કયાંકને કયાંક લીંક કે ગોઠવણની વેતરણમાં પડયાની પોલીસ બેડામાં ભારે ચર્ચા થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech