પોરબંદરમાં પરમહંસો થી માંડીને પોલીસ કર્મચારીઓને બંધાઈ રાખડી

  • August 20, 2024 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દુર્ગાવાહિની બહેનોએ પોલીસ કર્મચારીઓથી માંડીને ટ્રાફિક બ્રિગેડના જવાનો અને મનો દિવ્યાંગોના આશ્રમ ખાતે પરમહંસોને રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવી છે.
પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિના બહેનો દ્વારા ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના દિવસે પ્રાગજીબાપા આશ્રમમાં પરમહંસોને રાખડી બાંધીને સુખ,શાંતિ,આનંદ અને પવિત્રતાના આશીર્વાદ આપ્યા હતા,પ્રાગજીબાપા આશ્રમ તરફથી ગીરીશભાઈ સોનીગ્રાએ પધારેલા માતૃશક્તિના માતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ માતાઓ કમલાબાગ સિક્યુરિટી ગાર્ડ સાથે ટ્રાફિક કંટ્રોલના જવાબદારી સંભાળતા ભાઈઓને અને કમલાબાગ પોલીસ સ્ટેશનને પણ રાખડી બાંધવા ગયા હતા.
કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પી.આઇ.ની ફરજ બજાવતા રાજેશ કાનમિયા સાથે માતાઓની બેઠક રહી હતી.પી.આઇ રાજેશ કાનમિયા   વીરતાપુર્વક આશીર્વાદ સાથે જણાવ્યું કે,જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે તમારી સાથે જ છીએ વિશ્વ હિન્દુ પરિષદની જિલ્લાની  જવાબદારી સંભાળતા નીતાબેન જોષીએ નમ્રતાપુર્વક પ્રાગજીબાપા પરમહંસ ભાઈઓની સાથે પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો,આ કાર્યક્રમમાં અલગ-અલગ સત્સંગ મંડળની જવાબદારી સંભાળતા માતાઓની ઉપસ્થિતિ રહી સાથે કમલાબાગમાં એક બેઠક રાખવામાં આવી હતી.આ બેઠકમાં  નીતાબેન જોષીએ આગામી કાર્યક્રમની ચર્ચા કરતા જણાવ્યું કે,આગામી બે દિવસ રાખડી બાંધવા જવાનું ચાલુ રહેશે પોરબંદરમાંથી સેવાકીય સંસ્થાના જે કોઈ બહેનોને આવવું હોય તે માતૃશક્તિ બહેનોનો સંપર્ક કરવા જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application