અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં રાયને વરિ વકીલ ડો. અશોક નિગમને વકીલો માટે વળતર મેળવવાના કેસમાં સન્માનના પ્રતીક તરીકે રૂ.૧ નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ૨૦૦૪માં શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન વકીલોને પોલીસ દ્રારા માર મારવામાં આવ્યો હતો. ડો. નિગમ દ્રારા ૨૦૦૭માં દાખલ કરવામાં આવેલી અરજીમાં ઘાયલ વકીલોને વળતર તેમજ પોલીસ કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહીમાં ખુદ વરિ વકીલ પણ ઘાયલ થયા હતા.
૨૦ માર્ચે, ન્યાયમૂર્તિ વિવેક ચૌધરી અને ઓમ પ્રકાશ શુકલાની ડિવિઝન બેન્ચે, મામલો ઘણો જૂનો હોવાનું નોંધીને વરિ વકીલને પૂછયું કે તેઓ કયા વળતરની અપેક્ષા રાખે છે. ડો. નિગમે જવાબ આપ્યો કે તેઓ કોર્ટ દ્રારા નિર્ધારિત કોઈપણ વળતર સ્વીકારશે કારણ કે લડાઈ વકીલોના સન્માન વિશે વધુ છે.
બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, કોર્ટે આદેશ પસાર કરતી વખતે કહ્યું હતું કે, વિદ્રાન વરિ વકીલ અને અરજીકર્તા ડો. અશોક નિગમની વરિતા અને આદરને ધ્યાનમાં રાખીને, અમે પ્રતિવાદીઓને અરજદારને વળતર તરીકે . ૧– ચૂકવવા નિર્દેશ આપીએ છીએ. કોર્ટે આદેશમાં એ પણ નોંધ્યું છે કે ડો.નિગમ વડીલો સમિતિના અધ્યક્ષ છે અને લખનૌ બેન્ચના જાણીતા વકીલ પણ છે.
પોલીસ કાર્યવાહીની તપાસ માટે અગાઉ નિમાયેલા નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળના પંચે આ કેસને બધં કરવાની ભલામણ કરી હતી, એમ કહીને કે સમય સાથે વસ્તુઓ શાંત થઈ ગઈ છે. જો કે, ૨૦૨૦ માં, કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન પોલીસ દ્રારા વકીલોને નિર્દયતાથી મારવાના આરોપો સામેલ હોવાથી, આ મુદ્દાને બધં કરી શકાય નહીં.
કોર્ટે કહ્યું હતું કે, તે માત્ર વહીવટીતત્રં અને પોલીસ કર્મચારીઓમાં અનુશાસન જાળવવા માટે જ નથી, જેમણે નિર્દયતાથી કામ કયુ હતું, જેના પરિણામે અનેક વકીલોને ફ્રેકચર ઉપરાંત ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે, ગયા મહિને કોર્ટે ડો.નિગમની સંમતિથી કેસ બધં કરવાનો નિર્ણય લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech