રોંગસાઈડમાં વાહન ચલાવતા ચાલકોને પોલીસે આપી ટ્રાફિક નિયમની સમજ

  • April 01, 2025 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર જીલ્લાના માર્ગદર્શન અને સુચના અનુસાર પી. એસ.આઈ. કે.એન અઘેરા અને પોરબંદર ટ્રાફિક શાખાની ટીમ દ્વારા પોરબંદર શહેરમાં આવેલ જુના ફુવારા પાસે ટ્રાફિક જાગૃતિ ફેલાવવામાં આવી હતી,જેમાં વાહનચાલકો જુના ફુવારા સર્કલ પાસે રોગસાઈડમાં વાહન ચલાવતા મળતા વાહન અકસ્માત અટકાવવાના હેતુથી તુરંત જ તેમને રોકી રોડ પર સાઈડમાં લઇ આ રીતે ક્યારેય વાહન ન ચલાવવા માટે સમજ આપી હતી તેમજ તેમની સલામતી અને સુરક્ષા માટે હેલ્મેટ,સીટબેલ્ટ બાંધવા, સેલફોનનો ઉપયોગ ન કરવા અને વાહનની ગતિમર્યાદા વગેરે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને અન્ય લોકોને પણ આ સંદેશો આપવા અપીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application