એસ.ટી.વિભાગ કચેરી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • July 02, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની એસ. ટી. વિભાગીય કચેરી પરિસર માં 'એક પેડ માં કે નામ' શિર્ષક હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


સમગ્ર દેશમાં વૃક્ષારોપણની ઝુંબેશ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે.અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા "એક પેડ મા કે નામ" અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે જામનગર ના એસટી વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પણ વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે અંતર્ગત ગઈકાલે જામનગર એસ ટી વિભાગીય કચેરી/વિભાગીય યંત્રાલય ખાતે વિભાગીય નિયામક બી સી જાડેજાના માર્ગદર્શન હેઠળ એસટી કચેરી પરિસરમાં ૩૬ જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં લેબર ઓફિસર જે. વી. કણજારીયા, ડીએમઈ એન સી સોની, ડીટીઓ ઈશરાણી, એકાઉન્ટ અધિકારી ભીમાણી તથા યુસુફભાઈ એ. પરાસરા અને સામાજિક કાર્યકર, નરેન્દ્રસિંહ બી જાડેજા,તેમજ  તમામ કર્મચારી ગણ વગેરેએ ઉપસ્થિત રહી તમામ વૃક્ષોનો ઉછેર થાય તેમજ તેનુ જતન કરવા માટેનો પણ સંકલ્પ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application