પર્યાવરણ દિન નિમિત્તે આરએસપીએલ કંપનીમાં ૩૫૦૦ વૃક્ષોનું વાવેતર

  • June 06, 2023 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કંપની અધિકારીઓ સાથે કર્મચારીઓ, આગેવાનોની ઉપસ્થિતિ

૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દેશ અને સમગ્ર રાજ્યની સાથે સાથે દ્વારકા જિલ્લામાં આવી હતી. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી ડિટર્જન્ટ) કંપની દ્વારા પણ સોમવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત કંપનીના કર્મચારીઓને પર્યાવરણ બચાવવા અને પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા માટે વધુ જાગૃત કરવામાં આવ્યા હતા.
આ તકે કંપનીના પ્લાન્ટ હેડ ભોલાકુમાર, એન્જિનિરીંગ હેડ સુનિલ બુધ, સહીત ૨૦૦ થી પણ વધુ કર્મચારીઓ દ્વારા "વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે"ની ઉજવણી ભાગરૂપે અંતર્ગત કંપનીની આજુ-બાજુના વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ કરવામાં આવ્યું હતું.
આ સાથે કંપનીમાં ૩,૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી અને તમામ ઉપસ્થિત કર્મચારીઓ અને મહેમાનો દ્વારા પર્યાવરણનું જતન અને રક્ષણ કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ ઉજવણીમાં ઉપસ્થિત ખાસ અધિકારી જી.પી.સી.બી. (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના કર્મચારી હેમાબેન શાહ તથા વન વિભાગના કર્મચારી પંકજ કુમાર પંડિત (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) તથા તેમની ટિમ દ્વારા આ ઉમદા કાર્યમાં સહભાગી થવા બદલ અને હર-હંમેશથી સમાજ કલ્યાણના કાર્યમાં આગળ રહેતા આર.એસ.પી.એલ. પરિવારનું અભિવાદન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application