જોડિયા ની પ્રજા આજે શ્રી રાવલ પીર ડાડા ની સાનિધ્યમાં આષાઢી બીજ ઉજવણી

  • June 23, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છ માં ચારણ કુળ માં જન્મેલા શ્રી રાવલ પીર ડાડા જે નાથ સંપ્રદાય ના અવતારી તરીકે સમસ્ત દલ જાડેજા પરિવાર  ના આરાધ્ય દેવ તરીકે પુજાય છે. જોડિયા ના સ્થાપના કાળ પુવે ૬ સૌ વર્ષ પહેલાં શ્રી રાવલ પીર ડાડા વિરાજી રહયા છે દલ જાડેજા પરિવાર ના ૪૨ ગામોમાં શ્રી ડાડા નુ સ્થાનક મંદિર જોવા મળે છે, દલ જાડેજા પરિવાર દ્વારા શ્રી રાવલ પીર ડાડા નુ સવારે અને સાંજે પુજા / આરતી કરાય છે. આષાઢી બીજ ના દિવસે સવારે શ્રી રાવલ પીર ડાડા નુ પુજન વિધિ બાબભા  રવુભા જાડેજા ના હસ્તે થયેલ, જયારે આરતી ના લાભ જોડિયા ના પી એસ, આઈ . આર. ડી ગોહિલ કરેલ સવાર ડાડા ના પુજન વિધિ માં જોડિયા ના સમસ્ત દલ જાડેજા પરિવાર અને જોડિયા ના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.. ધાર્મિક કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અજીતસિંહ જાડેજા ની સાથે દલ જાડેજા પરિવાર ના યુવાનો ને સહકાર આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application