પાકિસ્તાની સૈનિકોએ જમ્મુમાં ભારતીય ચોકીઓ પર કર્યો ગોળીબાર, BSFએ આપ્યો જડબાતોડ જવાબ

  • October 27, 2023 12:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણી વખત ધમકીઓ આપવા છતાં પાકિસ્તાન પોતાની હરકતોથી રોકાઈ રહ્યુ નથી અને તે સરહદ પર ગોળીબાર ચાલુ રાખે છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની રેન્જર્સે ગુરુવારે રાત્રે જમ્મુના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. ત્યારે ભારતીય જવાનો દ્વારા પણ આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.


બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) એ જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈનિકો દ્વારા ગોળીબાર રાત્રે 8 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો અને હજુ પણ ગોળીબાર ચાલુ છે. BSFએ કહ્યું કે આજે સવારે લગભગ 2 વાગે પાક રેન્જર્સે અરનિયા વિસ્તારમાં BSF ચોકીઓ પર વગર ઉશ્કેરણીથી ગોળીબાર શરૂ કર્યો હતો, જેનો BSF જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application