કોર્પોરેશન દ્વારા પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત 148 ઇમારતોને નોટીસ આપ્યા બાદ વધુ જર્જરીત ઇમારતો તાત્કાલીક તોડવા કમિશ્નરનો આદેશ
જામનગર શહેરમાં દર વખતે પ્રિ-મોનસુનની કામગીરી કરવા માટે કોર્પોરેશનની એસ્ટેટ અને ટીપીઓ શાખા વધુ જર્જરીત અને જર્જરીત મકાનો તોડવા માટે પગલા ઉઠાવે છે ત્યારે ગઇકાલે એક ઇમારતની દિવાલ તોડી પડાયા બાદ આગામી દિવસોમાં 20થી વધુ જર્જરીત મકાનો તોડી પાડવામાં આવશે તેમ જાણવા મળે છે.
કોર્પોરેશનના સીટી ઇજનેર ભાવેશ જાનીની સુચનાથી ટીપીઓ શાખાના ઉર્મિલ દેસાઇ, અનિલ ભટ્ટ, એસ્ટેટ શાખાના મુકેશ વરણવા, સુનિલ ભાનુશાળી સહિતના સ્ટાફ દ્વારા 148 જેટલી જર્જરીત ઇમારતોને અગાઉ નોટીસ આપવામાં આવી છે, દર વખતે ચોમાસામાં 4 થી 5 જેટલી ઇમારતો તુટી પડતી હોય છે, તો કયારેક જાનહાની પણ થાય છે, એક તરફ કોર્પોરેશન દ્વારા નદી, નાળા, કેનાલની સફાઇ કરવામાં આવી રહી છે, બીજી તરફ એસ્ટેટ શાખા દ્વારા લોકો માટે ભયજનક એવી 20થી વધુ ઇમારતો આગામી દિવસોમાં તોડી પાડવા માટે એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે.
આમ ખરેખર તો 148થી વધુ ઇમારતોમાંથી કેટલીક ઇમારતો એવી છે કે તે ગમે ત્યારે પડી જાય તેવી શકયતા છે, માટે આવી ઇમારતો હવે ચોમાસાની એક મહીનાની વાર છે ત્યારે આવી ઇમારતોને તાત્કાલીક અસરથી તોડી પાડવા કોર્પોરેશને હવે ઝડપી કામગીરી કરવી પડશે, કોઇની જાન જાય એ પહેલા જ આવી ઇમારતોને તોડી પાડવા તાત્કાલીક આદેશ આપવા પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMધારીના આશ્રમમાં માથાભારે શખ્સોનો આતંક, સાધુ સંતોને ધમકાવ્યા
September 28, 2024 07:00 PMરાજકોટમાં કનકનગરમાં કુરિયર પેઢીમાંથી ₹1,77,000 ની ચોરી કરનારને પોલીસે દબોચ્યો
September 28, 2024 06:58 PMરાજકોટ મનપાના ચોપડે ₹1350 કરોડથી વધુ ટેક્સ વસૂલવાનો બાકી
September 28, 2024 06:57 PMઉનામાં ત્રણ સિંહ સામે શ્વાને બાથ ભીડી, જુઓ Video....
September 28, 2024 06:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech