મ્યાનમાર સૈન્યના હવાઈ હુમલામાં બાળકો સહિત 100 થી વધુ લોકોના મોત

  • April 12, 2023 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યાનમાર સેનાના હવાઈ હુમલામાં બાળકો સહિત 100 થી વધુ લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકો સૈન્ય શાસન વિરુદ્ધ આયોજિત એક વિરોધ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. આ બનાવને લઈને, યુએન માનવાધિકાર વડાએ મ્યાનમારમાં ઘાતક હવાઈ હુમલાની નિંદા કરી છે. વોલ્કર તુર્કે કહ્યું કે, નાગરિકો પર હવાઈ હુમલો ખુબજ ઘટક હતો. જે કાર્યક્રમમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો ત્યાં સ્કૂલના બાળકો પણ હાજર હતા.



ફેબ્રુઆરી 2021 માં, મ્યાનમારની સેનાએ દેશમાં બળવો કર્યો હતો. ત્યાર બાદ  મ્યાનમારની સેનાએ સત્તા કબજે કરી લીધી હતી. ત્યારથી મ્યાનમારમાં સૈન્ય શાસન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સૈન્ય શાસન સામે યોજાઈ રહેલા વિવિધ વિરોધ પ્રદર્શન સામે મ્યાનમારની સેના દ્વારા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષમાં ત્રણ હજારથી વધુ નાગરિકોના મોત સૈન્ય દ્વારા થયા છે.


પ્રાપ્ત માહિતી મુજબ, હુમલા દરમિયાન મહિલાઓ અને બાળકો સહિત 150 થી વધુ લોકો સ્થળ પર હાજર હતા, જેમાંથી 100 થી વધુ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે મૃતકોમાં સશસ્ત્ર જૂથોના નેતાઓ અને લશ્કરી શાસનનો વિરોધ કરતા અન્ય રાજકીય સંગઠનોનો સમાવેશ થાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application