જિલ્લા પંચાયતોમાં ડીડીઓ સિવાયની ચેમ્બરમાંથી એસી હટાવવાના આદેશ

  • May 28, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજયની જિલ્લા પંચાયતમાં અધિકારીઓને મળવાપાત્ર સુવિધાઓ સંબંધે સરકારી જોગવાઇનું પાલન કરાવવાની જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી ફરી ચર્ચા જાગી છે. તેમાં તમામ શાખા અધિકારીઓ અને ડેપ્યુટી ડીડીઓની ચેમ્બરમાંથી એર કન્ડિશનર હટાવી દેવાની સુચના અપાઇ છે. રાય સરકારની અધિકારીઓને મળવાપાત્ર સુવિધાની જોગવાઇ અને વિકાસ કમિશનરનાં વર્ષ ૨૦૨૦ના પત્રના પાલનથી અધિકારીઓએ ગરમીમાં અકળાવવાનું નક્કી બન્યું છે.
સરકાર દ્રારા વર્ગ૧ અને વર્ગ ૨ના અધિકારીઓને ચેમ્બરમાં મળવાપાત્ર સુવિધાઓના સંબંધમાં પણ જોગવાઇઓ કરવામાં આવેલી છે. તેમાં એસીની સુવિધા મળવાપાત્ર થતી નથી. આ ઉપરાંત રાયના વિકાસ કમિશનર દ્રારા પણ આ સંબંધમાં રાજયની તમામ જિલ્લા પંચાયતને એપ્રિલ ૨૦૨૦માં પત્ર પાઠવીને સરકારી જોગવાઇઓનું પાલન કરાવવા સંબંધમાં પત્ર પાઠવવામાં આવેલો છે. જેના પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્રારા સરકાર દ્રારા કરવામાં આવેલી જોગવાઇઓ અને વિકાસ કમિશનરની સુચનાઓનું પાલન કરવા સંબંધે ડેપ્યુટી ડીડીઓ ઉપરાંત જિલ્લા પંચાયતની તમામ શાખાના અધિકારીઓને લેખિતમાં સ્પષ્ટ્ર સુચના આપવામાં આવી છે. હાલની કાળઝાળ ગરમીના દિવસોમાં એસી હટાવવાની વાતે પંચાયત વર્તુળમાં વ્યાપક ચર્ચા પણ જગાવી છે.

ભારે વીજ વપરાશથી ભૂતકાળમાં શોટ સર્કિટ થતાં આગના બનાવ
ઇલેકટ્રીકલ નેટવર્કની ક્ષમતા કરતા વીજળીનો વપરાશ વધે ત્યારે આગ અકસ્માત સર્જાતા હોવાની વાત એકદમ સ્વાભાવિક છે. કેટલીક જિલ્લા પંચાયતમા ભૂતકાળમાં શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તે દરમિયાન ફર્નિચરની સાથે વર્ષેા જુના રેકર્ડ પણ બળીને ભસ્મિભૂત થઇ ગયા હતાં. ત્યારે દાયકા જુનું ઇલેકટ્રીકલ નેટવર્ક ધરાવતી જિલ્લા પંચાયતની કચેરીમાં વધુ સંખ્યામાં એસી ચાલતા રહે તો ફરી અકસ્માત થવાની આશંકા નકારી શકાય તેમ નથી. ત્યારે દાયકા જુનું ઇલેકટ્રીકલ નેટવર્ક ધરાવતી જિલ્લા પંચાયતની કચેરીમાં વધુ સંખ્યામાં એસી ચાલતા રહે તો ફરી અકસ્માત થવાની આશંકા નકારી શકાય તેમ નથી.
વધારાના વીજળીના બિલ અને ખર્ચને મંજૂરી આપવામાં આવશે નહીં
જિલ્લા વિકાસ અધિકારી દ્રારા અધિકારીઓને તેમની ચેમ્બરમાંથી તાત્કાલીક અસરથી એસી તેમજ મળવાપાત્ર ન હોય તેવી અન્ય સુવિધા દુર કરવા જણાવવામાં આવ્યું છે. સાથે જ ભવિસ્યમાં વીજળીનું બિલ વધુ આવશે તો તે અને અન્ય વધારાના ખર્ચ મંજુર કરવામાં નહીં આવે તથા આ સુચનાનો અમલ કરવાની જવાબદારી શાખા અધિકારીઓની રહેશે તેવી સ્પષ્ટ્ર સુચના પણ અપાઇ છે. કર્મચારી વર્તુળમાં પણ આ સંબંધે હકારાત્મક અને નકારાત્મક પ્રતિભાવો આપવામાં આવતાં સંભળાઇ રહ્યાં છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application