સુરેન્દ્રનગર જિલ્લ ાના વાંટાવચ્છ ગામના મૂળ રહેવાસી અને હાલમાં સોજીત્રા મુકામે રહેતા દેવરાજભાઇ વાઘાભાઇ રબારી (લવતુકા)એ ફોર્ડ કંપનીની એક લકઝરી કાર ખરીદી હતી, જેની વીમા-પોલીસી મહેસાણા સ્થિત ધી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લીમીટેડ પાસેથી લીધેલ હતી. આ લકઝરી કાર લઇને કાર માલિક દેવરાજભાઇ રબારી અને તેમના અન્ય ત્રણ મિત્રો રાજસ્થાન રાજયના પ્રવાસે ગયેલ હતા, ત્યારે કુંભલગઢ નજીક કાર-ચાલકે સ્ટેરીંયગ પર કાબૂ ગુમાવતા કારને અકસ્માત થયેલ હતો, જેમાં કારમાં સવારી કરતા સૌને નાની-મોટી ઇજાઓ થયેલ હતી, પરંતુ ફોર્ડ કંપનીની આ લકઝરી કાર ભાંગીને ભુકો થઇ ગયેલ હતી. ત્યારબાદ કાર માલિકે વીમા-કંપનીને આ અંગે સમયસર જાણ કરી હતી પરંતુ વીમા કંપનીએ કરાવેલ સર્વેમાં, આ કારમાંથી બીયરનું એક ઢાંકણું મળી આવતાં, અકસ્માત સમયે કારચાલકે આલ્કોહોલનું સેવન કરીને અકસ્માત કરેલ હોવાનું અનુમાન કરીને, આ કારની વીમા-પોલીસીના નીતિ-નિયમોનું પાલન ન કરવા માટે, રૂપિયા ૨૧ લાખથી વધુ રકમની વીમા-કલેઇમની ચુકવણી કરવાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી દિધા હતાં.
કારના માલિક દેવરાજભાઇ વાઘાભાઇ રબારી (લવતુકા)એ ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદના એડવોકટ ડો.ડીબી દેસાઇનો સંપર્ક સાધી, સઘળી હકીકત જણાવતાં, એડવોકટ ડો.ડીબી દેસાઇએ મહેસાણા સ્થિત ધી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લીમીટેડને, રૂપિયા ૨૧ લાખથી વધુ વીમા-કલેઇમની રકમ ચુકવી આપીને, પોતાની જવાબદારી નિભાવવા માટે લીગલ નોટીસ ઠપકારેલ હતી, તેમ છ્તાં આ વીમા-કંપનીને પેટનું પાણી ન હલતા, છેવટે જિલ્લ ા ગ્રાહક તકરાર નિવારણ કમિશન-મહેસાણા મુકામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ કેસ દાખલ કરેલ હતો.
આ કેસની કાર્યવાહી દરમ્યાન એડવોકટ ડો.ડીબી દેસાઇએ ગ્રાહક અદાલત-કમિશન સમક્ષ જણાવેલ કે પોતાના અસીલ પોતે કાયદાની માહિતીથી અજ્ઞાત હોઇ અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હોવાથી, વીમા-કંપની તરફથી આ લકઝરી કારની વીમા-પોલીસીના તમામ નીતિ-નિયમોથી વાકેફ કર્યા વગર જ સહીઓ લીધેલ છે. વળી, વીમા-કંપની તરફથી નામદાર અદાલત સમક્ષ રજૂ થયેલ દસ્તાવેજોમાં જ પાયાનો વિરોધાભાસ જણાઇ આવે છે. તદુપરાંત, આ કામે રજૂ રાખેલ મેડીકલ પેપર્સ પણ અકસ્માત સમયે કારચાલકે આલ્કોહોલનું સેવન કરેલ હોઇ, એ બાબતનું સમર્થન કરતાં નથી. વીમા-કંપની તરફથી રજૂ થયેલ જજમેન્ટ જ વીમા-કંપનીને સહાયરૂપ થતાં નથી.
અંતે, બન્ને પક્ષકારો પૈકી એડવોકટ ડો.ડીબી દેસાઇ મારફતે થયેલ વિદ્વતાપૂર્ણ અને ટુ ધ પોઇન્ટ રજુઆતો-સહ-દલીલો તેમજ આધાર-દસ્તાવેજોને ગ્રાહ્ય રાખતાં, નામદાર ગ્રાહક અદાલતે સામાવાળા વીમા-કંપનીને, રૂપિયા ૨૧.૫૦ લાખ જેટલી માતબર વીમા-કલેઇમની રકમ, કેસની દાખલ તારીખથી ૮ ટકા વ્યાજ સાથે તેમજ માનસિક યાતના અને પીટીશન ખર્ચ અંગે પણ અલગથી રકમ ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ ફરમાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech