ગુરૂવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

  • July 15, 2024 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વ. વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને ભાનુમતી ધીરજલાલ મહેતા, (સ્વદેશી) ના જન્મદીવસ નિમીતે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન અને સારવારના કેમ્પનું આયોજન કરેલ છે.તા.૧૮.૦૭.૨૦૨૪ ગુરૂવારના રોજ,શ્રી દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગર ખાતે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં આંખના મોતિયાના ઓપરેશનના દર્દીને તપાસી કેમ્પ પુરો થયે રાજકોટશ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. જયાં મફતમાં આંખમાં નેત્રમણિ બેસાડી નદી દ્રષ્ટિ વિનામુલ્યે આપવામાં આવશે. અન્ય દર્દીને દવા, ટીપાં, ચશ્મા વિગેરે આપવામાં આવશે.દંતયજ્ઞમાં દાંતના નિષ્ણાંત ડોકટર રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા દ્વારા તપાસ કરી સારવાર આપશે. ડો. હિરાબેન જોષી સર્વરોગ માટે દર્દીને તપાસી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પનો વિશાળ સંખ્યામાં લાભ લેવા વી. વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદીની યાદીમાં જણાવેલ છે.વધુ માહિતી માટે મો. ૯૯૯૮૦ ૯૫૨૧૦ પર સંપર્ક કરવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application