ઉનામાં દિનપ્રતિદિન અકસ્માતોની ઘટના વધી રહી છે. ત્યારે છેલ્લા એક માસમાં પાંચથી છ અલગ અલગ અકસ્માતની ઘટના બની હોય ત્યારે ગઇ રાત્રિનાં સમયે વધું બે અલગ અલગ અકસ્માતો ઉના-ભાવનગર હાઇવે પર સર્જાયા હતા. જ્યાં એક અકસ્માતમાં ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજી ઘટનામાં બાઇકને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનના પગ અને હાથ કચડી અજાણ્યો વાહન ચાલક નાશી ગયો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પસવાળા ગામે રહેતા જોરૂ જેમાભાઇ ગોહીલ પોતે બાઇક પર રાત્રિના ઉના તરફ આવતા હતા. એ દરમિયાન ઉના-ભાવનગર હાઇવે પર આવેલા રામેશ્વર ગામના પાટીયા પાસે ઉના તરફથી આવતા ટ્રકના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માત સર્જાતા રસ્તા પર લોકો એકઠા થઇ ગયા અને ઇમજન્સી ૧૦૮માં ઉના સરકારી હોસ્પિટલે સારવાર મળે તે પહેલાજ જોરૂભાઇનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ તેમના પરિવારજનોને થતા હોસ્પિટલે દોડી ગયા હતા. અકસ્માતમાં મોતની ઘટનાથી પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો.
જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી્ ઘટના સ્થળે ટ્રક મુકી નાશી છુટ્યો હતો. આ બાબતે મૃતકના ભાઇ ભગીરથસિંહ જેમભાઇ ગોહીલે પોલીસમાં ટ્રક ચાલક વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. તેમજ ઉનાના કંસારી નજીક ભાવનગર હાઇવે બાયપાસ પર પાણીના ટાંકા પાસે બાઇક ચાલક રવિ જાલમભાઇ (રહે. નગડલા તા.કોડીનાર) પોતાની બાઇક પર જતો હતો. એ દરમિયાન કોઇ અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માતમાં યુવાનના પગ તેમજ હાથ કચડી અજાણ્યો વાહન ચાલક નાશી છુટ્યો હતો. આ અકસ્માત થતા વાહન ચાલકોએ ઇમરજન્સી ૧૦૮ને જાણ કરતા ભરત બાંભણીયા તેમજ કલ્પેશ પટેલ તાત્કાલીક ઘટના સ્થળેથી ઇજાગ્રસ્તને એમ્બ્યુલન્સમાં પ્રથમ ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે બહાર રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech