કેશોદના પાણીધ્રા પાસે રાજકોટની કાર પલટી જતાં એક મૃત્યુ, ૪ને ઈજા

  • December 28, 2023 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદ વેરાવળ હાઇવે પાણીધ્રા ફાટક પાસે પશુ આડે આવતા કાર પલટી જતા રાજકોટના યુવકનું મોત અને ચારને ઇજા થયાનો બનાવ નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં રહેતા રાજુભાઈ લાલજીભાઈ પરમાર, ભરતભાઈ પોપટભાઈ રાબડીયા, ખીમજીભાઈ  તારીયા, ગોપાલભાઈ રાઘવજીભાઈ પરમાર અને પાંચાભાઇ હકાભાઇ વરુ રાજકોટ થી કાર સોમનાથ તરફ જઈ રહ્યા હતા ત્યારે કેશોદ વેરાવળ હાઇવે પર પાણીધ્રા નજીક રસ્તા પર ગાય કાર સાથે અથડાતા ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ગઈ હતી જેમાં રાજકોટના રાજુભાઈ લાલજીભાઈ પરમાર (ઉંવ૩૯)’( રહે .કાલાવડ રોડ ન્યુ ભરતનગર મેઇન રોડ મોમાઈ કૃપા ’)નું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. કારમાં બેઠેલા અન્ય ને પણ ઈજા થતાં પ્રાથમિક સારવાર માટે કેશોદ હોસ્પિટલ બાદ જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે માળિયા હાટીના પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application