દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને અલંકારજડિત સોનાના બે હાર અર્પણ

  • June 27, 2023 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંદાજે ૨૨૦ તથા  ૬૦ ગ્રામના સોનાના હાર શ્રીજીના ચરણોમાં સમર્પિત

દ્વારકા જગત મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે અને પોતાની મનોકામના પણ માંગતા હોય છે. પોતાના મનમાં રહેલી ઈચ્છાઓ શ્રીજી સમક્ષ પ્રસ્તુત કરતા હોય છે અને તે ઈચ્છાઓ મનોકામનાઓ પરિપૂર્ણ થતાં ફરી એક વખત દ્વારકા જગત મંદિરમાં ભગવાન કાળિયા ઠાકોરના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતાની સાથે આભાર પ્રગટ કરતા હોય છે. આભારની સાથે ભેટ પણ અર્પણ કરતા હોય છે. આવા જ દ્વારકાધીશના બે અલગ અલગ ભક્તો દ્વારા સોનાનો હાર શ્રીજીના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
તા.૨૬/૦૬/૨૩ના પવિત્ર દિવસે શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત દ્વારા શ્રીજીને અંદાજે ૨૨૦ ગ્રામ સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો. તથા અન્ય એક ભક્ત દ્વારા આજના પવિત્ર દિવસે શ્રી દ્વારકાધીશજીના અન્ય પરમ ભક્ત દ્વારા શ્રીજીને આશરે ૬૦ ગ્રામ સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ બંને ભક્તો દ્વારા ભેટ અર્પણ કરી ખુશી અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application