શાળાઓનાં શૈક્ષણિક પ્રવાસ અંગે શિક્ષણ વિભાગે પ્રવાસને લઈ માર્ગદર્શિકા જાહેર કરી છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે એકસ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્રારા રાયની તમામ સ્કૂલોમાં વિધાર્થીઓને પ્રવાસ લઇ જવા પર રોક લગાવી દીધી હતી. ત્યાર સુધી એકપણ સ્કૂલને પ્રવાસ લઈ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી . રાયની સ્કૂલોમાં ૨૦૨૪–૨૫નું શૈક્ષણિક સત્ર જૂન મહિનાથી શ થયું છે. મોટાભાગની સ્કૂલોમાં દિવાળી બાદ વિધાર્થીઓને પ્રવાસ લઈ જવાય છે.
હવે રાયની શાળાઓમાં પ્રવાસનું આયોજન કરી શકાશે. શિક્ષણ વિભાગે પ્રવાસ માટે લીલીઝંડી આપી દીધી છે. પરંતુ પ્રવાસ આયોજન માટે નવા નિયમો સાથેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં શાળાએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. નિયમોની વાત કરીએ તો, કોઈ પણ શાળાએ પ્રવાસનું આયોજન કરતા ૧૫ દિવસ પહેલા શિક્ષણ અધિકારીને જાણ કરવી પડશે.સાથે જ સંબંધિત આરટીઓ કચેરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવાની રહેશે.
રાયમાં જે–તે જિલ્લામાં પ્રવાસ હોય તો ત્યાના જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવું પડશે.રાય બહાર પ્રવાસનું આયોજન કરતા નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરીમાં જાણ કરવાની રહેશે. અને જો શાળાએ વિદેશમાં પ્રવાસ ગોઠવવાનો હોય તો, ૧૫ દિવસ પહેલાં શિક્ષણવિભાગને સૂચના આપવાની રહેશે. મહત્વનું છે કે, વડોદરામાં હરણી બોટકાંડ બાદ રાયની તમામ શાળાઓમાં પ્રવાસના આયોજન પર પ્રતિબધં મુકવામાં આવ્યો હતો. પરંતુ શિક્ષણ વિભાગે નવા નિયમો સાથે મંજૂરી આપતા. શાળાઓ વિધાર્થીઓને સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક તથા વિકસિત સ્થળોએ પ્રવાસ માટે લઈ જઈ શકશે.
રાયની શાળાઓના પ્રવાસ અંગે રાય સરકારે જારી કરેલી માર્ગદર્શિકા અંગે ગુજરાત રાયના શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે પ્રતિક્રિયા આપી છે. તમણે કહ્યું કે, સરકારની માર્ગદર્શિકા આવકારદાયક છે. ત્રણ નવી બાબતોનો ઉમેરો આ માર્ગદર્શિકામાં કર્યેા છે.
આ પહેલા પણ શાળાઓ, સંચાલકો અને શિક્ષકો વિધાર્થીઓને પોતાના ગણીને જ પ્રવાસે લઈ જતા અને હેમખેમ પાછા લાવતા હતા. રાયની અંદર બહાર કે વિદેશ પ્રવાસ અંગેની માર્ગદર્શિકાથી સંકલન સુચા બનશે. નવા કોઈ વધારાના ફેરફાર નથી પણ જે પણ ફેરફાર છે તે આવકારદાયક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech