ચોટીલાના આણંદપર રોડ પર રાત્રે અકસ્માત: પ્રૌઢનું મોત, એકને ઇજા

  • December 01, 2023 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલાના આણંદપર રોડ પર રાત્રીના અકસ્માતની ઘટના બની હતી.જેમાં બાઇક પર સવાર પ્રૌઢ અને યુવાન ગંભીર રીતે ઘવાયા હતાં.જેથી તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.જેમાં એક પ્રૌઢનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.બનાવને લઇ ચોટીલા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
​​​​​​​
અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ,ચોટીલા નજીક આવેલા આણંદપર રોડ પર રાત્રીના બાઇક લઇ જઇ રહેલાબે વ્યકિતને અકસ્માત નડતા બંને ગંભીર રીતે ઘવાયા હતાં.અકસ્માતના પગલે અહીં લોકો ટોળે વળ્યા હતાં.બાદમાં કોઇએ ૧૦૮ ને જાણ કરતા ઘવાયેલા બંનેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.જેમાં ગંભીર રીતે ઘવાયેલા ૫૫ વર્ષીય પ્રૌઢનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી.બાઇક પર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંનેની હજુ સુધી ઓળખ થઇ શકી ન હોય ચોટીલા પોલીસ મથકના હેડ કોન્સ. દિલિપસિંહ દ્વારા યુવાન અને પ્રૌઢની ઓળખ મેળવવા બંને ચોટીલા પંથકના વતની છે કે કેમ? જોકે તેમની પાસે રહેલું બાઇક રાજસ્થાન પાસિંગનું હોય બંને પરપ્રાંતીય હોવાનું અને અહીં મજુરી કામ માટે આવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ રહ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application