પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયા ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે પોરબંદરમાં તેમના હસ્તે આવતીકાલે દશેરાના પાવનપર્વે સાન્દીપનિ વિદ્યાનિકેતન ખાતે નુતન છાત્રાલયનું ઉદ્ઘાટન થશે.
૧૧- પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને ખેલ મંત્રી ડો. મનસુખ માંડવીયા ૩ દિવસ ગુજરાતના પ્રવાસે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોરબંદર લોકસભા વિસ્તારના વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપશે.
તા. ૧૨ ઓકટોબર શનિવારના રોજ દશેરાના દિવસે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સાન્દીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે નૂતન છાત્રાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી આપશે.
ગુજરાતની ૨૩ વર્ષની વિકાસગાથાની ઉજવણીના ભાગપે પોરબંદર ખાતે યોજાનાર વિકાસ સપ્તાહમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં મંત્રી મનસુખ માંડવીયા પોરબંદર જિલ્લાના કુલ ૧૪ કરોડના ૭૨ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.
તા.૧૨ ઓકટોબર સાંજે પાંચ વાગ્યે માંડવિયાના ‘ગોરસ જનસંપર્ક કાર્યાલય’નું ઉદ્ઘાટન થશે અને જનતા માટે ખુલ્લુ મુકાશે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન વજુભાઇ વાળા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવનાર છે.
ઉપરોકત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રે ૯ વાગ્યે વાલ્મીકિ સમાજ-ઉપલેટા દ્વારા સાંસદ ડો. મનસુખ માંડવીયાની ‘સાકરતુલા’ કરવામાં આવશે. ત્યારબાદ માંડવિયા ઉપલેટા ખાતે આયોજિત વિવિધ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. જેમાં તેઓ ગૌશાળાના લાભાર્થે આયોજિત ગરબા મહોત્સવમાં પણ હાજરી આપશે.
રવિવાર તા. ૧૩ ઓકટોબરના રોજ મંત્રી મનસુખ માંડવીયા અમદાવાદ ખાતે પરોબે ૪ વાગ્યે ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ, નરોડાની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે ૬ વાગ્યે સીમર ઇન્સ્ટીટયુટના સહયોગથી શ્રી સૌરાષ્ટ્ર કેળવણી મંડળ- અમદાવાદ દ્વારા આયોજિત ‘સર્વાઇકલ કેન્સર વેકસીનેશન કાર્યક્રમ’માં હાજરી આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech