શહેરના પુનિતનગરમાં પાડોશીઓ બાખડયા

  • May 01, 2023 01:56 PM 

બારી બારણાંમાં તોડફોડ : ઢીકાપાટુ, છરી અને ધકકા માયર્િ : બંને પક્ષો દ્વારા સામસામી ફરીયાદ

જામનગરના મચ્છરનગર પાછળ આવેલ પુનિતનગરમાં બોલાચાલી બાદ મામલો બિચકતા એક યુવાનને ઢીકાપાટુ અને છરી વડે માર માયર્નિી આ વિસ્તારમાં રહેતા માતા-પુત્ર સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જયારે સામાપક્ષે પણ માર માયર્નિી અને બારી બારણાં તોડી નાખ્યાની ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના પુનિતનગર શેરી નં. 2માં રહેતા યુવરાજસિંહ અજીતસિંહ પરમાર (ઉ.વ.39) નામનો યુવાન ગત તા. 29ના રોજ પુનિતનગર વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે આરોપીઓએ રોકીને બે દિવસ પહેલા તું મારી સાથે શું બોલાચાલી કરતો હતો, તેમ કહયું હતું આથી ફરીયાદીએ તમે મારા પિતાના ઘર બહાર રસ્તે શુંકામ દિવાલ કરેલ છે, તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઇ બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ આરોપી જયરાજસિંહે છરી વડે હુમલો કરી યુવરાજસિંહને કપાળના ભાગે બે ઘા ઝીંકી દીધા હતા, તેમજ અન્યએ ઢીકાપાટુનો માર માર્યો હતો.
યુવરાજસિંહ દ્વારા આ અંગે સીટી-બીમાં ગઇકાલે પુનિતનગર-2માં રહેતા જયરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા શોભનાબા પ્રવિણસિંહ જાડેજાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
સામાપક્ષે પુનિતનગરમાં રહેતા શોભનાબા પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.42)એ વળતી ફરીયાદ પુનિતનગરના યુવરાજસિંહ અજીતસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ અજીતસિંહ પરમાર, સરોજબા તથા અશોકબાની વિરુઘ્ધ નોંધાવી છે.
ફરીયાદીનો પુત્ર પૃથ્વીરાજસિંહ તા. 29ના રોજ ઘર પાસે હતો ત્યારે આરોપીઓ ઢીકાપાટુનો માર મારતા હોય જેથી ફરીયાદી અને તેના પુત્રી કોમલબા છોડાવવા જતા આરોપીએ ધકકો મારી નીચે પાડી દીધા હતા અને ફરીયાદીને ઇંટ મારવા જતા ફળીયામાં જતા રહેલ આ વખતે ઇંટ દરવાજાની ઝાળીમાં લાગી હતી તેમજ અન્ય આરોપીએ આવી ફરીયાદીને અપશબ્દો બોલી મના બારી બારણામાં ઇંટો મારી કાંચ અને જાળી તોડી નાખી નુકશાન પહોચાડયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application