જોડીયામાં પ્રથમ નોરતે માં નવદુર્ગાની શોભાયાત્રા યોજાઇ

  • October 16, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડીયા ગામ છેલ્લા ૧૭ વર્ષ થી શ્રી માં નવદુર્ગા સમિતિ દ્રારા આસોસુદ એકમ ના પ્રથમ નોરતે શ્રી માં નવદુર્ગાની શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવે છે, જેમાં ગામના તમામ ગરબા મંડળની ૩૦૦ થી વધારે બાળાઓ તથા સંચાલકો જોડીયાના જલારામ સોસાયટીથી શરુ કરી વાજતે ગાજતે જોડીયા ગામના મુખ્યમાર્ગો પર થઇ શોભાયાત્રા સાંજના સમયે અંબાજી ગરબા મંડળ, અંબાજીના ચોકમાં પુરી કરવામાં આવે છે, જ્યા માં નવદુર્ગાની મહાઆરતી કરવામાં આવેછે, ત્યારબાદ દરેક મંડળની બાળાઓને લ્હાણી આપી જમાડી ને અને કાર્યક્રમનુ સમાપન કરવામાં આવે છે.


આ વર્ષે પણ આજરોજ તા.15-10-2023 ને રવીવાર આસો-સુદ એકમના દિવસેમાં નવદુર્ગા શોભાયાત્રાનુ સફળ આયોજન કરવામાં આવેલ હતુ, આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કનુભાઇ રાચ્છ, જીજ્ઞેશભાઇ વ્યાસ, ચીરાગભાઇ વાંક તથા તેની ટીમે જહેમત ઉઠાવી હતી, 300થી વધુ બાળાઓને લ્હાણી સંજયભાઇ દેશળભાઇ ચોહાણ તરફથી આપવામાં આવે છે, તેમજ જમણવારનો તમામ ખર્ચ અશોકભાઇ ડી.વર્મા તથા ભગુભાઇ સી.વાંક પરીવાર તરફથી કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application