જયુબેલી પુલથી રોકડિયા હનુમાન મંદિર તરફનો નેશનલ હાઈવે બન્યો બિસ્માર

  • September 06, 2024 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 પોરબંદરમાં વરસાદને લીધે માત્ર નગરપાલિકા હસ્તકના શહેરી વિસ્તારના નહીં પરંતુ નેશનલ હાઇવે પણ બિસ્માર બનીને ધોવાઈ જાય છે. શહેરના જ્યુબેલી પુલ ચાર રસ્તાથી ગાયત્રી મંદિર થઈને રોકડિયા હનુમાન તરફ જતો રસ્તો ખાડીના ફરી વળેલા પાણીને કારણે ધોવાઈ ગયો છે અને ઠેર- ઠેર મસમોટા ગાબડા પડી ગયા છે જેના કારણે આ વિસ્તારની સોસાયટીમાં રહેતા લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે એટલું જ નહીં પરંતુ દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓ પોરબંદર થઈને જ્યારે પસાર થાય ત્યારે આ રસ્તા પરથી નીકળતા હોય છે તેથી તેઓને પણ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ આ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયેલા રસ્તા નું તાત્કાલિક સમારકામ કરાવવું જ‚રી બન્યું છે. (તસ્વીર: જિજ્ઞેશ પોપટ) 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application