જોડિયા પંથકમાં બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ જેલ હવાલે

  • August 23, 2023 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડિયાના ગ્રામ્ય પંથકમાં  સાત વર્ષની બાળકી સાથે એક નરાધમ શખ્સે  દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગેની પોલીસમાં ફરિયાદ થયા પછી આરોપીને ઝડપી   લઇ ગઇકાલે બપોરે કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
જોડિયા નજીક વાડી વિસ્તારમા રહેતા એક પરિવારના પિતા-પુત્રી ગત. તા. ૧૯ નાં સાંજે ખેતીકામ માટે ખેતરે ગયા હતા. જ્યાં પિતા ખેતી કામ કરતા હતા ત્યારે  બાળકી  એકલી રમી રહી હતી ત્યારે  અશ્વિન જયંતિભાઈ ગોહેલ (ઉ.વ.૨૫)  નામના શખ્સે તે બાળકી પાસે આવી તેને પોતાની સાથ થોડે દૂર  લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ શખ્સના કૃત્યથી હેબતાયેલી બાળકી એ બૂમાબૂમ  કરતા  નજીકમાં જ કામ કરી રહેલા પિતા દોડી આવ્યા હતા.
દરમિયાન અશ્વિન ગોહેલ નાસી ગયો હતો. આ અંગે બાળકીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા  પીએસઆઈ આર.ડી. ગોહિલ એ  ફરિયાદ નોંધી નરાધમ અશ્ર્વીનની ધરપકડ કરી હતી અને મેડીકલ તપાસણી સહિતની તપાસ લંબાવી હતી દરમ્યાન મેડીકલ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને આરોપીને ગઇકાલે બપોર બાદ કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવાનો અદાલતે હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application