નરાધમ પિતા 5 વર્ષથી સગીર દીકરી પર ગુજારતો હતો બળાત્કાર, સમગ્ર મામલો આ રીતે આવ્યો બહાર

  • October 04, 2024 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુંબઈમાંથી એક ચોંકાઉનારી ઘટના સામે આવી છે. 16 વર્ષની એક સગીરા ગુમ થઈ ગઈ હતી. પરિવારજનો એ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ યુનિટે સગીરાને શોધી કાઢી. તપાસ દરમિયાન સગીરાએ ખુલાસો કરતાં સૌ કોઈ ચોંકી ગયા હતા.


એક અધિકારીએ ગઇકાલે આ માહિતી આપી હતી, કે મધ્ય મુંબઈના તારદેવ વિસ્તારમાંથી 16 વર્ષની એક છોકરી ગુમ થઈ ગઈ હતી. આ અંગે તેના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. FIR નોંધાયાના 2 દિવસની અંદર ક્રાઈમ બ્રાન્ચ યુનિટે સગીરાને શોધી કાઢી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સગીર પોતાની મરજીથી ઘર છોડી દીધું હતું, કારણ કે તેના પિતા પાંચ વર્ષથી તેના પર બળાત્કાર કરતા હતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટે પિતાની ધરપકડ કરી છે જે તેની સગીર પુત્રી પર છેલ્લા 5 વર્ષથી બળાત્કાર ગુજારતો હતો.


તારદેવ પોલીસ સ્ટેશને પિતા વિરુદ્ધ BNSની કલમ 64 (f), 64 (i), 64 (m), 74, 65 (1), 115 (2) અને કલમ 4, 6, 6 હેઠળ કેસ નોંધ્યો છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 8 અને 12 સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પીડિતા ઘરેથી ભાગી ગયા બાદ 2 દિવસ સુધી ક્યાં રહી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેના પરિવારના અન્ય સભ્યો વિશે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application