શહેરમાં મહોરમના તહેવાર દરમ્યાન જામનગર પોલીસ દ્વારા સતત ૩ દિવસ સુધી ખડેપગે રહી સુરક્ષા વ્યવસ્થા જાળવવા બદલ મુસ્લીમ સમાજના અગ્રણી દ્વારા જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલા, તેમજ પી.આઇ. અને પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં આ વર્ષે મોહરમ ના તહેવાર ની ભવ્ય ઉજવણી થઇ હતી. ઠેર-ઠેર શહેર માં અનેક વિસ્તાર માં તાજિયા પડમાં આવ્યા હતા. જામનગર પોલીસ દ્વારા ખડેપગે રહીને સતત ૩ દિવસ સુધી તાજિયા તેમજ લોકોની સલામતી વ્યવસ્થા ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જામનગર ના જિલ્લા પોલીસ વડા થી લઇ ને અનેક અઘિકારી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તાજિયા ના પરવાનેદાર, તાજીયા કમિટી તેમજ મુસ્લિમ બિરદારોને ખુબ સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો.
જે બદલ જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલા, સિટી-એ ડિવિઝન ના પીઆઇ એન.એ.ચાવડા, એલસીબી શાખા ના પીઆઇ જે.વી.ચૌધરી, એસઓજી શાખા ના પીઆઇ બી.એન.ચૌધરી, પીઆઇ ડી.કે.ચૌધરી તેમજ સર્વેલન્સ સ્કવોડ ના પીએસઆઇ બી.એસ.વાળા અને દરબારગઢ પોલીસ ચોકી ના પીએસઆઇ વી.આર.ગામેતી સહિતના અધિકારીઓ તેમજ સ્ટાફ નું મુસ્લીમ સમાજ ના અગ્રણી દ્વારા સન્માન કરી તેઓની સરાહનીય કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ તકે જામનગર મહાનરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા તેમજ કોર્પોરેટર અસલમભાઇ ખીલજી, જામનગર સુન્ની મુસ્લિમ પટણી જમાત ના પ્રમુખ હાજી જુસબભાઇ પટણી (જે.કે), સૈયદ સમાજ ના અગ્રણી સૈયદ ઈમ્તિયાઝબાપુ, મુસ્લિમ અગ્રણી હાજી કાદરબાપુ જુણેજા, ઇકબાલભાઇ ખફી (ભૂરાભાઇ), હાજી ખાલીદભાઇ ખત્રી, સૈયદ જૈનુંલબાપુ, પપ્પુભાઇ પટણી, આસીફભાઇ ખીલજી અને યુસુફભાઇ પટણી સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech