હવામાન પરિવર્તનના કારણે આ વર્ષે ચોમાસું સારૂ રહેશે

  • April 06, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એપ્રિલની શઆતથી જ લોકો ગરમીથી પરેશાન છે. દેશનો મોટો હિસ્સો કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે. દરમિયાન સવાલ એ છે કે વરસાદ કયારે લોકોને રાહત આપશે? ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મત્યુજની મહાપાત્રાએ ચોમાસાને લઈને રાહતની માહિતી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે જૂન પછી અલ નીનોની સ્થિતિમાં ઘટાડો થતો જણાય છે, જે ચોમાસા માટે સારો સંકેત છે.

અલ નીનોની સ્થિતિનું અવલોકન કર્યા પછી, વિભાગે અનુમાન લગાવ્યું છે કે મોટા પાયે આબોહવાની ઘટનાઓ દક્ષિણ–પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવી રહી છે. મહાપાત્રાએ કહ્યું કે આ વર્ષે જૂનની શઆત સુધીમાં અલ નીનોની અસર ઓછી થતી જોવા મળી રહી છે. આના કારણે મધ્ય પ્રશાંત મહાસાગર વધુ ગરમ નહીં થાય અને દક્ષિણ–પશ્ચિમ ચોમાસાને વધુ અસર થશે નહીં. ખાસ વાત એ છે કે દક્ષિણ–પશ્ચિમ ચોમાસાના કારણે ભારતમાં લગભગ ૭૦ ટકા વરસાદ થાય છે. આ વરસાદ કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એકંદરે, વરસાદ આધારિત ભારતીય અર્થતત્રં માટે પણ આ એક સારો સંકેત છે. ૨૦૨૩ની ચોમાસાની સિઝનમાં ભારતમાં સરેરાશથી ઓછો વરસાદ થયો હતો, જેનું કારણ અલ નીનો હતું.અલ નીનો એ સધર્ન ઓસિલેશનનો ભાગ છે, જે હવામાન અને મહાસાગરો સાથે સંબંધિત કુદરતી આબોહવાની ઘટના છે. એએનએસઓ બે તબક્કાઓ ધરાવે છે. પેસિફિક મહાસાગરમાં પે નજીક સમુદ્ર કિનારે ગરમ થવાની ઘટનાને અલ નિનો કહેવામાં આવે છે. જો સાદી ભાષામાં સમજીએ તો દરિયાઈ ઘટના જે દરિયાના તાપમાન અને વાતાવરણની સ્થિતિમાં ફેરફારનું કારણ બને છે તેને અલ નીનો નામ આપવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતા ૪–૫ ડિગ્રી વધારે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application