જામનગર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન કે.બી.ગાગીયાના ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો...
લાલપુર તાલુકાના મોડપર ગામે તા. ૧૫ ના રોજ એક વિશિષ્ટ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં કદાચ પ્રથમ વખત ૩૮ જેટલી મહિલાઓએ રકતદાન કરી, માનવતાને મહેકાવી સમાજને વિશિષ્ટ સંદેશો આપ્યો. સ્વ. અરજણભાઈ બોઘાભાઈ ગાગીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વિસ્તારના યુવા આગેવાન, ટ્રસ્ટના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્ય અને જેઓ ખુદ ૮૧ વખત રકતદાન કરી ચૂકયા છે તેવા કે. બી. ગાગીયાના માર્ગદર્શન હેટળ ટ્રસ્ટની પ્રવૃતિઓને આગળ ધપાવતા મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત થયેલ જેમાં કુલ ૧૩૯ રકતદાતાઓએ પોતાની સામાજિક ફરજ બજાવી રકતદાન કરેલા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર તથા જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા સહિત મહાનુભાવો જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય વિનુભાઈ વાડોદરીયા, સુરભા જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા, જિલ્લા ભાજપ અનુ. જાતી મોરચાના પ્રમુખ હીરજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય લખુભાઈ વરૂ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનાભાઈ કાંબરીયા, તા. પંચા, સદસ્ય જયેશભાઈ ગાગીયા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી કેશુભાઈ ચાવડા, લાલપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ જેસાભાઈ નંદાણીયા, લાલપુર તાલુકા ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ગાગીયા, તાલુકા પંચાયત સદસ્ય જયુભા જાડેજા, જિલ્લા ભાજપ આઈ.ટી. સેલ કન્વીનર દિગુભા જાડેજા, માર્કેટ યાર્ડ ના ડાયરેકટર કાનાભાઈ આંબલીયા, લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયા સહિત સામાજિક આગેવાનો, સરપંચો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech