દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સાથી ગણાતા બિભવ કુમારે હવે દિલ્હી પોલીસની કાર્યવાહી સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. AAP સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારના આરોપી બિભવ કુમારે દિલ્હી પોલીસની ધરપકડને ગેરકાયદે ગણાવીને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આ સાથે બિભવ કુમારે પોતાની અરજીમાં એમ પણ કહ્યું છે કે દિલ્હી પોલીસે જે ગેરકાયદેસર રીતે તેમની ધરપકડ કરી છે તે કલમ 41Aનું ઘોર ઉલ્લંઘન છે. આ અરજીમાં બિભવ કુમારે તેમની ગેરકાયદેસર ધરપકડ માટે યોગ્ય વળતરની પણ માંગણી કરી છે.
બિભવ કુમારે પોતાની અરજીમાં કહ્યું છે કે આ મામલે આવતીકાલે એટલે કે ગુરુવારે સુનાવણી થવી જોઈએ. બિભવ કુમારે અરજી દ્વારા દાવો કર્યો છે કે તેમને બળજબરીથી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે, તેથી તેમને બળજબરીથી કસ્ટડીમાં રાખવા બદલ યોગ્ય વળતર આપવામાં આવે. આ ઉપરાંત પોલીસકર્મીઓ સામે પણ ખાતાકીય તપાસ થવી જોઈએ.
એક દિવસ પહેલા જ દિલ્હીની એક કોર્ટે બિભવ કુમારને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. જે બાદ હવે બિભવ કુમારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. બિભવ કુમાર પર સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું હતું કે 13 મેના રોજ જ્યારે સ્વાતિ માલીવાલ પર સીએમ હાઉસમાં હુમલો કરવામાં આવ્યો ત્યારે આરોપી પાસે રહેલા મોબાઈલ ફોનને શોધવાના અધિકારથી દિલ્હી પોલીસને વંચિત ન રાખી શકાય. કોર્ટે કહ્યું હતું કે આરોપીની પૂછપરછ કરવા માટે પોલીસને પૂરતો સમય આપવો જરૂરી છે. આ પછી કોર્ટે બિભવ કુમારને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો.
બિભવ કુમારને પહેલા જ નીચલી કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે અને તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. તીસ હજારી કોર્ટમાં એડિશનલ સેશન જજ સુશીલ અનુજ ત્યાગીએ તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ અને AAP સાંસદ સ્વાતિ માલીવાલે બિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
બિભવ કુમાર પર આરોપ છે કે જ્યારે તે 13 મેના રોજ સીએમ કેજરીવાલને તેમના આવાસ પર મળવા ગઈ હતી ત્યારે તેણે તેને ગંભીર રીતે માર માર્યો હતો. સ્વાતિ માલીવાલનો દાવો છે કે તેને 7-8 વાર થપ્પડ મારવામાં આવી હતી. આ પછી તેનું માથું પણ ટેબલ પર પછાડ્યું હતું. માલીવાલની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને તેની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech