મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં મુસાફરોથી ભરેલી બોટ દરિયાની વચ્ચે નેવીની સ્પીડ બોટ સાથે અથડાઈ હતી. ટક્કર બાદ મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
સીએમ ફડણવીસે આપી માહિતી
મુંબઈમાં થયેલા આ અકસ્માતની માહિતી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપી છે. તેમણે કહ્યું, "મુંબઈ નજીક એલિફન્ટા ટાપુ પર બપોરે લગભગ 3.55 વાગ્યે નૌકાદળની એક બોટ પેસેન્જર જહાજ 'નીલકમલ' સાથે અથડાઈ હતી. સાંજના 7.30 વાગ્યા સુધીની માહિતી અનુસાર 101 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને 13 લોકોના મોત થયા છે. જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ છે. નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને પોલીસે હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી શરૂ કરી છે. શોકગ્રસ્ત પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. પોલીસ અને નેવી દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે."
રાહત અને બચાવ કામગીરી ચાલુ
તમને જણાવી દઈએ કે ઘટના બાદ તરત જ બોટમાં સવાર લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નેવી, જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી (JNPA), કોસ્ટ ગાર્ડ, યલો ગેટ પોલીસ સ્ટેશન અને સ્થાનિક માછીમારોની મદદથી લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
સીએમએ લીધી નોંધ
મુંબઈમાં આ દુર્ઘટના અંગે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમને એલિફન્ટા ટાપુ તરફ જઈ રહેલી નીલકમલ નામની બોટના અકસ્માતની માહિતી મળી છે. નેવી, કોસ્ટ ગાર્ડ, પોર્ટ અને પોલીસની ટીમોની બોટ તાત્કાલિક મદદ માટે રવાના કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખ પટેલને મોટી રાહત, મોરબી જિલ્લામાં પ્રવેશની મંજૂરી
March 11, 2025 11:11 PMદિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલી વધી, કોર્ટનો FIR નોંધવાનો આદેશ
March 11, 2025 09:28 PMભારત આવી રહ્યું છે એલોન મસ્કનું સ્ટારલિંક ઈન્ટરનેટ, સ્પેસX નો એરટેલ સાથે કરાર
March 11, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech