સલમાન ખાનની અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
મહિમા મકવાણાએ આ ઇન્ડસ્ટ્રીમાં તેના સફરની શરૂઆત ટીવીથી કરી હતી. તે તેના ટીવી શો સપને સુહાને લડકપન કે થી વધુ લોકપ્રિય બની હતી. આ શોમાં મહિમાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.એક વાતચીત દરમિયાન મહિમા મકવાણાએ પોતાના દિલની વાત ખુલીને કહી. તેણે સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર 'અંતિમ' કર્યા પછી કામ ન મળવાની વાત કબૂલ કરી હતી અને કહ્યું હતું કે તે નાની ઉમરમાં જ સિનેમેટોગ્રાફરની બદ્સલુંકીનો ભોગ બની હતી.
મહિમા એ 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ'થી પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે આયુષ શર્માની સામે મેઈન હિરોઈનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન પણ હતો પરંતુ સલમાન ખાનની ફિલ્મમાં કામ કરવા છતાં મહિમાને એ ફિલ્મ બાદ કામ મળ્યું નહતું.એક વાતચીત દરમિયાન મહિમા મકવાણાએ પોતાના દિલની વાત ખુલીને કહી. તેણે સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર 'અંતિમ' કર્યા પછી કામ ન મળવાની વાત કબૂલ કરી હતી. મહિમા કહે છે કે ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. પરંતુ તેની ભૂમિકા પર કોઈએ ધ્યાન ન આપ્યું. આ ફિલ્મ પછી પણ તેને કામ ન મળ્યું.
મહિમા પછી એવી વસ્તુઓ વિશે વાત કરે છે જેના વિશે તેણીએ તેના જીવનમાં ક્યારેય સાંભળ્યું નથી જે બ્રાન્ડ્સ, માર્કેટિંગ અને સ્ટાર્સ છે. જ્યારે તેણી ટીવી કરતી હતી, ત્યારે તેણી માત્ર એટલું જ જાણતી હતી કે સેટ પર જવું અને તેનું કામ કરવું,અભિનય કરવો. આ પછી તે ઘરે આવીને આરામ કરશે. પરંતુ હવે, તેમને સારું દેખાવા અને યોગ્ય બ્રાન્ડના કપડાં પહેરવાનું કહેવામાં આવે છે. બ્રાન્ડ્સ વિશે વાત કરતાં મહિમાએ કહ્યું કે સારી બ્રાન્ડ શોધવી મુશ્કેલ છે.
ઇન્ટરવ્યુમાં મહિમાએ જણાવ્યું છે કે કેવી રીતે એક સિનેમેટોગ્રાફરે નાની ઉંમરમાં તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વ્યક્તિએ અભિનેત્રીને ખૂબ જ અશ્લીલ સવાલ પૂછ્યો હતો. મહિમાએ કહ્યું, 'હું એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. અંતિમ નથી, અન્ય પ્રોજેક્ટમાંથી. ત્યાં હું એક સિનેમેટોગ્રાફરને મલી. અમે વાત કરી અને એકબીજાને અમારા નંબર આપ્યા. એક દિવસ તે સિનેમેટોગ્રાફરે મને મેસેજ કર્યો અને પૂછ્યું કે હું કેટલી ફ્લેક્સીબલ છું. મહિમાએ વધુમાં જણાવ્યું કે તેને એ વ્યક્તિની કોઈ પણ વાતનો જવાબ આપ્યો ન હતો. તે સમજી શકતી ન હતી કે આવી વસ્તુઓનો જવાબ કેવી રીતે આપવો, કારણ કે તે સમયે તે ખૂબ જ નાની હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech