જામનગર આહિર યુવા ગ્રુપના પ્રમુખ બનતાં મહેશ નંદાણિયા

  • April 10, 2023 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિલ્ડર અને લૅન્ડ ડેવલોપર હોવાથી વિશાળ મિત્ર વર્તુળ યુવા અગ્રણીઓએ આપ્યા અભિનંદન

સમાજસેવા ક્ષેત્રે ઉપયોગી યોગદાન આપતાં અને શહેર પર આવતી કુદરતી આપદાઓ વખતે ખડેપગે કામ કરતાં જામનગર આહિર યુવા ગ્રુપનું સુકાન હવે જાણીતા બિલ્ડર અને લૅન્ડ ડેવલોપર મહેશભાઈ નંદાણિયાને આપવામાં આવ્યું છે, પ્રમુખપદે એમની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. યુવા આહિર અગ્રણીઓ સહિત તમામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
શુક્રવારે આહિર સમાજ ખાતે યુવા અગ્રણીઓની બેઠક મળી હતી અને તેમાં હવે પછીની ટર્મ માટે પ્રમુખપદની વરણી સર્વસંમતિથી કરવામાં આવી હતી, આ યુવા ગ્રુપ દ્વારા કોરોનાકાળ વખતે ખૂબ જ સેવાકીય કામગીરી કરવામાં આવી હતી, માટે સમાજ ઉપયોગી કાર્યો આ ગ્રુપનું મુખ્ય સૂત્ર હોવાથી યુવા ગ્રુપને હવે એક નવા કેપ્ટન મહેશભાઈ નંદાણિયાના રુપમાં આપવામાં આવ્યા છે.
અહેવાલ સાથે પ્રસ્તુત તસવીરોમાં નવનિયુકત પ્રમુખને અભિનંદન આપી રહેલાં આહિર યુવા ગ્રુપના તમામ ટોંચના યુવા નેતાઓ જોઈ શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application